અમદાવાદ- મુંબઈ તેજસ એક્સપ્રેસ લગભગ 630 યાત્રી બુધવારે 80 મિનિટ લેટ પહોંચ્યા હતા. આ માટે પોલીસીના આધારે દરેક યાત્રીને 100 રૂપિયા વળતર રૂપે આપવામાં આવશે.
અમદાવાદ મુંબઈ તેજસ એક્સપ્રેસ 80 મિનિટ લેટ પહોંચી
630 યાત્રીઓને મળશે 100 રૂપિયાનું વળતર
ઓવર હેડ ઉપકરણોમાં સમસ્યાના કારણે લેટ પહોંચી ટ્રેન
શહેરના રેલવે નેટવર્કમાં પ્રથમ વખત કોઈ ટ્રેન મોડી થાય તો મુસાફરો વળતર માટે પાત્ર છે. અમદાવાદ-મુંબઇ તેજસ એક્સપ્રેસના આશરે 630 મુસાફરો 80 મિનિટ વિલંબના કારણે બુધવારે મોડી રાત્રે પહોંચ્યા હતા. પરિણામે, તેઓ વળતર મેળવવા માટે હકદાર છે. તેજસ એક્સપ્રેસ ટ્રેનોની શ્રેણીની એકમાત્ર ટ્રેન છે જે તેના મુસાફરોને વિલંબ માટે વળતર આપે છે.
આ છે નિયમ
આ ટ્રેન 1 કલાકથી વધારે લેટ થાય છે તો નિયમ અનુસાર 100 રૂપિયાનું વળતર આપવામાં આવે છે. જો ટ્રેન 2 કલાક મોડી પડે તો 250 રૂપિયા આપવામાં આવે છે. આ બીજો અવસર છે જ્યારે તેજસ એક્સપ્રેસના યાત્રીઓને વળતર મળશે. આ અગાઉ 2019માં ઓક્ટોબર મહિનામાં દિલ્હી-લખનઉ તેજસ એક્સપ્રેસના 950 યાત્રીઓને 3 કલાક લેટ પહોંચાડવાને માટે 250 રૂપિયાનું વળતર આપ્યું હતું.
આ કારણે લેટ થઈ હતી ટ્રેન
અમદાવાદ- મુંબઈ ટ્રેનના કેસમાં મીરા રોડથી ભાયંદરની વચ્ચે 12.38થી 1.30 સુધી ઓવરહેડ ઉપકરણોમાં ટેકનિકલ સમસ્યાના કારણે વેસ્ટર્ન રેલવે સર્વિસ પ્રભાવિત થઈ હતી. તેની અસર તેજસ સહિત 4 ટ્રેન પર પડી. મળતી માહિતી અનુસાર ઓવર હેડ ઈલેક્ટ્રિક વાયરના કારણે ટ્રેન લેટ થઈ હતી. યાત્રી 100 રૂપિયાના વળતરના હકદાર છે કારણ કે 75 મિનિટ લેટ ટ્રેન ચાલી રહી હતી.
યાત્રીઓ આ રીતે મેળવી શકે છે વળતર
યાત્રી દાવો કરીને પોતાના રૂપિયા પાછા લઈ શકે છે. IRCTCના આધારે 630 યાત્રીઓ વળતરના હકદાર છે. યાત્રીઓ 1800-266-8844 નંબર પર ફોન કરી શકે છે અથવા તો [email protected] પર મેલ કરી શકે છે. તેઓએ પોતાના પીએનઆર નંબરની સાથે ઈન્શ્યોરન્સ નંબર અને એક કેન્સલ ચેક મોકલવાનો રહેશે. આ દરેક જાણકારી આપ્યા બાદ જ આગળની કાર્યવાહી કરાશે.