અમદાવાદના IIM વિસ્તારમાં શ્રમિકોએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. આજે સવારે 10 વાગ્યે શ્રમિકો IIMના કેમ્પસમાં અંદર ઘૂસ્યા હતા. વતન જવાની માગ સાથે શ્રમિકોએ તોડફોડ કરી હતી. IIM કેમ્પસમાં કેબિન, CCTV, ગાડીમાં શ્રમિકોએ તોડફોડ કરી હતી. આ સાથે 3 કોમ્પ્યુટરમાં પણ શ્રમિકોએ તોડફોડ કરી હતી. આ ઘટનાની જાણ થતા પોલીસકર્મીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. શ્રમિકોને અટકાવવા જતા પોલીસ પર પથ્થરમારો થયો હતો.
અમદાવાદ વસ્ત્રાપુર IIM નજીક પથ્થરમારો
મોટી સંખ્યામાં શ્રમિકો થયા હતા એકઠા
મોટી સંખ્યામાં પોલીસ કાફલો ઘટના સ્થળે
ગુજરાતમાં કોરોના કહેર વચ્ચે લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે પરપ્રાંતિય શ્રમિકો વારંવાર પોતાનું વિવેકભાન ભુલતા જોવા મળી રહ્યાં છે. ગઇકાલે રાજકોટના શાપર-વેરાવળમાં મીડિયા અને પોલીસકર્મી ઉપર હુમલો કર્યો હતો. ત્યારે આજે અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારના IIM રોડ પર શ્રમિકો દ્વારા પોલીસ પર પથ્થરામાની ઘટના સામે આવી છે. અમદાવાદ શહેરના વસ્ત્રાપુર વિસ્તારના IIM રોડ પર પરપ્રાંતિય શ્રમિકો દ્વારા હોબાળો કરતો જોવા મળ્યો છે. જેમાં શ્રમિકોએ પોલીસ પર પથ્થરમારો કર્યો હોવાની ઘટના સામે આવી છે.
આ જગ્યા પર હાલ વતન પરત જવા એકઠા થયા હતા. ત્યારે પોલીસ પર પથ્થરમારો કરતાં મોટી સંખ્યામાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો છે.
શહેરના વસ્ત્રાપુર નજીક IIM રોડ પર મોટી સંખ્યામાં શ્રમિકો એકઠા થઇ ગયા હતા. ત્યારે વતન પરત ફરવાને લઇને એકઠા થયેલા શ્રમિકોએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. જો કે પ્રાપ્ત મળતી માહિતી અનુસાર સ્થિતિને કાબુ મેળવવા માટે પોલીસ ટીયર ગેસના શૅલ પણ છોડ્યા હતા. જો કે હાલ મળતી માહિતી અનુસાર પોલીસે હાલ સ્થિતિ પર કાબુ મેળવી લીધો છે.