અમદાવાદમાં વકીલે નૂપુર શર્માનું સમર્થન કરતું સ્ટેટ્સ 3 મિનિટ સોશિયલ મીડિયામાં મૂક્યું હતું, લાગણી દુભાશે તેવુ જણાઈ આવતા ડિલીટ પણ કર્યું હતું,
નૂપુર શર્માનો ફોટો સ્ટેટસમાં મુકનારને મળી મારી નાખવાની ધમકી
વકીલે સાબરમતી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી
તપાસમાં કચ્છના યુવકે ધમકી આપવાનુ બહાર આવ્યું
નૂપુર શર્માના વિવાદીત નિવેદન બાદ નૂપુર શર્માના સપોર્ટમાં આગળ આવતા લોકોનો અલગ અલગ રીતે ધમકી આપવામાં આવતી હોય છે. ત્યારે અમદાવાદના યુવાન વકીલે તારીખ 13 જૂને નૂપુર શર્માનું સ્ટેટસ મુક્યુ હતું. સ્ટેટસ મુક્યા બાદ તેમને મારી નાખવાની ધમકી મળી હતી. જેની ફરિયાદ વકીલે સાબરમતી પોલીસ સ્ટેશનમાં કરી હતી. પોલીસ તપાસમાં જાણવા મળ્યુકે ધમકી આપનાર ગુજરાતના કચ્છ જિલ્લાનો યુવક છે. જેથી સાબરમતી પાલીસે યુવકને પકડવા ટીમો રવાના કરી છે.
શું છે સમગ્ર ઘટના?
ધમકીને ગંભીર રીતે લઈ વકીલે આ અંગે સાબરમતી પોલીસ સ્ટેશનમાં જાણવા જોગ ફરિયાદ દાખલ કરી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે તેઓએ 13 જૂને બપોરે વોટ્સએપ સ્ટેટસમાં નૂપુર શર્માના સમર્થનમાં ફોટો મૂક્યો હતો.જોકે તેના કારણે કોઈની લાગણી દુભાષે તેવું વિચારી થોડી જ મિનિટમાં ડિલિટ કરી દીધો હતો.જોકે ફોટો ડિલિટ કર્યાના 2 કલાક બાદ કૃપાલભાઈને મેસેજ આવ્યો હતો કે, ‘તું કિસ હિસાબ સે નૂપુર કો સપોર્ટ કર રહા હૈ, જવાબ દૈ’ આથી કૃપાલભાઈએ તે નંબર બ્લોક કરી દીધો હતો. ત્યારબાદ તે જ દિવસે બપોરે વકીલને મારી નાખવાની ધમકી આપી હતી.
લંડનના શખ્સે સ્ટેટ્સનો ફોટો લઈ વાયરલ કર્યો
એવું પણ જાણવા મળ્યું કે લંડનથી સાફિન ગેના નામની વ્યક્તિએ વકીલના સ્ટેટસનો સ્ક્રીનશોટ કેટલાક ગ્રૂપમાં શેર કર્યો હતો. જેના આધારે પોલીસે તપાસ કરતા ધમકી આપનાર અન્ય કોઈ નહિ પણ ગુજરાતમાં કચ્છનો એક વ્યક્તિ હોવાનું સામે આવતા કચ્છ પોલીસનો સંપર્ક કરી સાબરમતી પોલીસે ટિમો રવાના કરી આરોપીને લાવવા તજવીજ હાથ ધરી છે.
સુરતમાં યુવકને મળી ધમકી
તો ગત 1 જુલાઇના રોજ સુરતના એક યુવક દ્વારા ઉદયપુરમાં નુપૂર શર્માના સમર્થનમાં સામાન્ય દુકાનદારની હત્યા અને ત્યાર બાદ એનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ કરનાર બન્ને યુવક દ્વારા આચરવામાં આવેલા જઘન્ય હત્યાકાંડનો વિરોધ કરવામાં આવ્યો હતો. જે બદલ હવે સુરતના એક યુવકને ધમકી મળતા ભારે હોબાળો મચી જવા પામ્યો છે. આ યુવકની કમેન્ટ પર ફૈઝલ નામના એક યુવક દ્વારા તેને ધમકી આપવામાં આવી અને લખ્યું કે ગુસ્તાક એ રસુલ કી એક હી સજા, સર તન સે જુદા. સુરતના આ યુવકને જાનથી મારી નાંખવાની ધમકી મળતા પરિવારમાં ચિંતાની લાગણી જોવા મળી. યુવકે અગમચેતીના ભાગરૂપે સમગ્ર ઘટના અંગે સુરત પોલીસ કમિશનર કચેરીમાં અરજી આપવામાં આવી હતી. ત્યાર બાદ ઉમરા પોલીસ દ્વારા નિવેદન લેવામાં આવ્યું હતું. હાલ યુવરાજને ગનમેનની સુરક્ષા આપવામાં આવી છે.
કનૈયાલાલની હત્યા બાદ ગુજરાતમાં સાવચેતી, શંકાસ્પદ વ્યકિતઓની એજન્સીઓ દ્રારા તપાસ
રાજસ્થાનમાં કનૈયાલાલની હત્યાના પડઘા આખા દેશમાં પડયા હતા ત્યારે ગુજરાતમાં પણ કોઈ ઘટનાના ઘટે તે માટે સાયબર ક્રાઈમ સક્રિય થઈ છે.નુપુર શર્માના નિવેદન પર કનૈયાલાલે માત્ર એક પોસ્ટ કરી હતી જે પોસ્ટ જ હત્યાનું કારણ બની ગયું હતું ત્યારે આવો જ કોઈ અણબનાવ ગુજરાત અને ખાસ કરીને અમદાવાદમાં ન બને માટે સાયબર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સોશિયલ મીડિયા પર ખાસ વોચ રાખવામાં આવી રહી છે..જેમાં ખાસ કરીને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટિવટર પર અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા ખાસ સર્વેલનસ રાખવામાં આવી રહ્યું છે.જેથી હવે સોશિયલ મિડીયા પર સંકળાયેલા શંકાસ્પદ વ્યકિતઓમાંથી 200થી 300 લોકોની સ્થાનિક એજન્સીઓ દ્રારા તપાસ કરવામા આવી રહી છે.