સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઇને જ્યાં રાજ્યમાં તારીખોના ભણકારા વાગી રહ્યાં છે ત્યારે હાલ રાજ્યમાં વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્તના કાર્યો જોરશોરથી ચાલી રહ્યાં છે. બીજી તરફ અમદાવાદના ખાનપુરમાં ગેરકાયદે બાંધકામ પર ડિમોલિશનને પગલે સ્થાનિકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે.
અમદાવાદના ખાનપુરમાં ગેરકાયદે બાંધકામ પર ડિમોલિશન
ડિમોલિશનને પગલે સ્થાનિકોએ કર્યો હોબાળો
50 વર્ષથી રહેતા લોકોના ઘરો ખાલી કરાવવા આદેશ
અમદાવાદના ખાનપુર વિસ્તારમાં ગેરકાયદે બાંધકામ પર તંત્રનું બુલડોઝર ફરતુ જોવા મળ્યું છે. ખાનપુરમાં ગેરકાયદે બાંધકામ પર ડિમોલિશેનના પગલે સ્થાનિકોએ હોબાળો કર્યો છે.
તંત્ર દ્વારા આ વિસ્તારમાં છેલ્લા 50 વર્ષથી રહેતા લોકોના ઘરો ખાલી કરાવવા આદેશ અપાયો હતો. કામગીરીમાં અડચણ કરતા લોકોની અટકાયત કરવામાં આવી છે.
જો કે તંત્ર દ્વારા સ્થાનિક લોકોના વિરોધ વચ્ચે મોટી માત્રામાં પોલીસનો કાફલો હાજર કરી ડિમોલિશનન કામગીરી ફરી શરુ કરવામાં આવી.
પ્રાપ્ત મળતી વિગત અનુસાર શહેરના ખાનપુર વિસ્તારમાં આજે મ્યુનિસિપલ કોર્પોરેશની દબાણ ખાતાની ટીમ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્તની વચ્ચે ડિમોલિશેનની કાર્યવાહી હાથ ધરવામાં આવી.
આ વિસ્તારમાં માકુભાઇ શેઠના છાપરા, ખારીવાડીના છાપરામાં દબાણ તોડીને તેને દુર કરવાની કામગીરી હાથ ધવામાં આવી. કોર્પોરેશનની ટીમ દ્વારા આ વિસ્તારમાં દબાણો દૂર કરવાની શરુઆત ત્યાંના 50થી વધુ મકાનો ધરાવતા લોકોએ તેનો વિરોધ કર્યો હતો.