ગુજરાતમાં બર્ડ ફ્લૂની દહેશત વચ્ચે અમદાવાદના કાંકરિયા પ્રાણી સંગ્રલાહયમાં પક્ષી વિભાગ મુલાકાતીઓ માટે બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ગુજરાતમાં બર્ડ ફલૂની એન્ટ્રી થતા તંત્ર એલર્ટ
કાંકરિયા પ્રાણી સંગ્રહાલયમાં પક્ષી વિભાગ મુલાકાતીઓ માટે બંધ કરાયો
કાંકરિયા પક્ષી વિભાગમાં 1200થી વધુ પક્ષીઓ ઉપસ્થિત
ગુજરાતમાં બર્ડ ફૂલની એન્ટ્રી થતાં તંત્ર અલર્ટ મોડ પર જોવા મળી રહ્યું છે. જેને લઇને કાંકરિયા પ્રાણી સંગ્રહાલયમાં પક્ષી વિભાગ મુલાકાતઓ માટે બંધ કરવામાં આવ્યું છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર દ્વારા બર્ડ ફલૂની અસરને લઇને આ અંગેનો નિર્ણય લેવામાં આવ્યો છે. કાંકરિયા પક્ષી વિભાગમાં 1200થી વધુ પક્ષીઓ છે.
રાજ્યમાં બર્ડ ફ્લૂની એન્ટ્રી થતા તંત્ર હાઇ એલર્ટ જોવા મળી રહ્યું છે.જેને લઇને હવે અમદાવાદમાં આવેલ કાંકરિયા પ્રાણી સંગ્રહાલયમાં પક્ષી વિભાગ મુલાકાતીઓ માટે બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
બર્ડ ફ્લૂની અસરને ધ્યાને રાખતા કોર્પોરેશન તંત્ર દ્વારા આ નિર્ણય લેવાયો છે. કાંકરિયા પક્ષી વિભાગમાં 1200થી વધુ પક્ષીઓ ઉપસ્થિત છે.
બર્ડ ફ્લૂની દહેશત વચ્ચે સોમનાથમાં વિદેશી પક્ષીઓનું આગમન
સોમનાથમાં બર્ડ ફલૂની દહેશત વચ્ચે મોટી સંખ્યામાં વિદેશી પક્ષીઓ આવી પહોંચ્યા છે. સોમનાથના ત્રિવેણી સંગમ નદી કિનારે ઓસ્ટ્રેલીયન પક્ષીઓનો જમાવડો થયો છે. હાલ તો લોકો પક્ષીઓના ફોટા લેવા પડાપડી કરી રહ્યા છે. પરંતુ તંત્ર બર્ડ ફલૂને લઈને ખડેપગે છે.
ગીર સોમનાથમાં બર્ડ ફ્લૂને લઇ એલર્ટ
ગીર-સોમનાથમાં બર્ડ ફ્લૂને લઇને તંત્ર અલર્ટ મોડ પર જોવા મળ્યું છે. ડોળાશા ગામે વાડી વિસ્તારમાં 3 વિદેશ કુંજ પક્ષાના મોત થતા હડકંપ જોવા મળ્યો છે. મોડી રાત્રે પક્ષીઓ ઉડતા-ઉડતા ખેતરમાં પડ્યા. જ્યારે ચીખલી ગામે ફાર્મમાં 150 જેટલા મરઘાના મોત થયા છે. ફાર્મમાં રોજ 8 થી 10 મરઘાના મોત થયા છે. આ અંગે ખેડૂતો દ્વારા વનવિભાગને જાણ કરવામાં આવી.
ડાંગના વધઇમાં 10 થી વધારે કાગડાના મોત
ડાંગના વધઇમાં 10થી વધારે કાગડાના મોત નિપજ્યાં છે. વધઇ જંગલ વિસ્તારમાં મૃત કાગડાઓ મળી આવ્યાં છે. કાગડાઓના સેમ્પલ ભોપાલ ખાતે મોકલવામાં આવ્યાં છે. બર્ડ ફ્લૂની દહેશત વચ્ચે કાગડાના મોતને પગલે તંત્ર દોડતું થઇ ગયું છે.