સોના ચાંદીની આયાતમાં લાંબા સમય બાદ મોટો ઉછાળો, આ ઓક્ટોબર મહિનામાં અમદાવાદમાં એટલા સોનાની આયાત થઈ છે કે જાણીને આપના હોશ ઉડી જશે..
ઓક્ટોબરમાં અમદાવાદમાં 5.3 ટન સોનાની આયાત
સોના ચાંદીની આયાતમાં લાંબા સમય બાદ મોટો ઉછાળો
સપ્ટેમ્બરમાં 3.7 ટન સોના અને 126 ટન ચાંદીની આયાત
સોનું નામ સાંભળતા જ દરેક મહિલાઓનું ધ્યાન આકર્ષાય, લગ્ન પ્રસંગ હોય તે વાર તહેવાર હોય સોનાના ઘરેણા કે આભૂષણ વિના કોઈ પણ મહિલા ઘરની બહાર પગ મુકતા પણ ખચકાતી હોય છે. સોના ચાંદીના ઘરેણાં કે આભૂષણો એ દરેક મહિલાની સૌદર્યમાં ચાર ચાંદ લગાવી દે છે, મહત્વનું છે કે દિવાળી જેવા તહેવારોમાં ખાસ કરીને ધન તેરસના દિવસે સોનાખી ખરીદીમાં ઉછાળો આવતો હોય છે, અને અનેક જ્વેલર્સની દુકાનોમાં ભીડ જામતી હોય છે ત્યારે આપને જાણાવી દઈએ કે આ ઓક્ટોબર મહિનામાં અમદાવાદમાં એટલા સોનાની આયાત થઈ છે કે જાણીને આપના હોશ ઉડી જશે..
સોના ચાંદીની આયાતમાં લાંબા સમય બાદ મોટો ઉછાળો
ભારતના સોના બજારમાં ગત સપ્ટેમ્બરના નીચા સ્તરથી આશરે સાત ગણા વધી ગઈ છે. સ્થાનિક બજારોમાં સોનાના ભાવમાં છ મહિનાના તળિયે ઉતરવાથી તહેવારો પહેલા જ જ્વેલર્સે સોનાની ખરીદી વધારી દીધી હતી. જો વાત કરવામાં આવે તો સપ્ટેમ્બરમાં સોનાની આયાત ગયા વર્ષના 12 ટનથી વધીને 91 ટન થઈ ગઈ હતી. જ્યારે ગુજરાતમાં પણ સોનાની આયાતમાં વધારો થયો છે. એકલા અમદાવાદમાં જ ઓક્ટોબર મહિનામાં 5.3 ટન સોનાની આયાત થઈ છે. જ્યારે ચાંદીની આયાત 146 ટન નોંધાઈ છે. મહત્વનું છે કે સોના ચાંદીની આયાતમાં લાંબા સમય બાદ ઉછાળો આવ્યો છે. આ અગાઉ સપ્ટેમ્બરમાં 3.7 ટન સોના અને 126 ટન ચાંદીની આયાત થઈ હતી.
સપ્ટેમ્બરમાં 3.7 ટન સોના અને 126 ટન ચાંદીની આયાત
આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવ ઓગસ્ટ 2020ના 2072 ડૉલરથી આશરે પંદર ટકા ઘટી ગયા છે ત્યારે ભારતની ખરીદી વૈશ્ચિક બજારમાં ભાવને ટકાવી શકે તેમ છે. જો કે આયાત વધવાથી ભારતની વેપારખાધ વધી શકે અને રૂપિયો નબળો પડી શકે તેમ છે. ગયે મહિને આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું ઘટી રહ્યું હતું, જ્યારે ડૉલર સામે રૂપિયો મજબૂત થતો જતો હતો. આ બન્ને કારણોથી સોનાના સ્થાનિક ભાવ ઠીક ઠીક નીચા આવ્યા અને ઝવેરીઓને સોનું સ્ટોક કરવાની તક મળી ગઈ હોવાનું જાણકારો કહી રહ્યા છે. ભારતમાં મૂલ્યની દૃષ્ટિએ સોનાની આયાત ગયા વર્ષના 60.1 કરોડ ડૉલરથી વધીને 5.1 અબજ ડૉલર થઈ હતી. સપ્ટેમ્બર ત્રિમાસિકમાં સોનાની આયાત 170 ટકા વધીને 288 ટન થઈ એવુ અહેવાલો દ્વારા જણાઈ રહ્યું છે. હવે છૂટક ગ્રાહકો ખરીદી કરવા બહાર નીકળવા લાગ્યા છે. કોરોનાના કેસ ઘટવા સાથે તેનો ડર પણ ઓસરી રહ્યો છે ત્યારે આગામી દિવસોમાં વધુ સોનાની ખરીદી તરફ લોકો આકર્ષાશે તેવું લાગી રહ્યું છે.