બ્રેકિંગ ન્યુઝ
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી
AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં
Kishor
Last Updated: 04:58 PM, 30 November 2022
અમદાવાદમાં રખડતા ઢોરનો ત્રાસ અટક્યો હોવાના અનેક દાવા વચ્ચે આજે પણ રેઢિયાળ ઢોર આસમાને જોવા મળી રહ્યો છે. જેના જીવતા જાગતા ઉદાહરણ રુપે તાજેતરમાં જ રખડતા ઢોરની ઢીંકે ચડેલા અશોક સુથાર નામના યુવકનું મોત નીપજ્યું હતું. આ ઘટનામાં મૃતક યુવાનના પરિવારજનોને નારાયણી હોસ્પિટલની દાદાગીરીનો પણ કડવો અનુભવ થયો હતો, પરિજનો પાસે માં કાર્ડ હોવા છતાં હોસ્પિટલ સંચાલકોએ મનમાની ચલાવી લાખો રૂપિયાની રકમ વસૂલી હતી.
માં કાર્ડ હોવા છતાં 4 લાખ રૂપિયા જેટલી રકમ વસુલાઈ
શહેરનાં ઓઢવ વિસ્તારમાં 21 નવેમ્બરના રોજ રખડતા ઢોરને કારણે અકસ્માત થયો હતો.જેને લઈને યુવાનને ગંભીર ઇજા પહોંચતા યુવાનને તાત્કાલિક સારવાર માટે નારાયણી હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં 21થી લઈને 30 તારીખ સુધીની લાંબી સારવાર બાદ યુવાને હોસ્પિટલ બિછાને આખરી શ્વાસ લીધા હતા. આ દરમિયાન યુવકના પરિવાર પાસે માં કાર્ડ હોવા છતાં હોસ્પિટલે 4.10 લાખ રૂપિયાનું જબરુ બીલ ફટકાર્યું હતું. જેને લઇને મૃતક યુવાનના પરિવારજનો અવાચક થયા હતા. આમ માં કાર્ડ હોવા છતાં હોસ્પિટલ દ્વારા ઉઘાડી લૂંટ ચલાવાઈ રહી હોવાનું સામે આવતા સબંધિત વિભાગની કામગીરી સામે સવાલો ઊભા થયા છે.
વખતોવખત રાવ ઉઠવા છતાં તંત્ર ઊંઘમાંથી જાગ્યું નથી
આનંદીબેન પટેલના મુખ્યમંત્રી કાળ વખતે અમલમાં મૂકાયેલી મુખ્યમંત્રી અમૃતમ યોજનાનો અમલ કરવામાં પણ હોસ્પિટલો છેતરપિંડી કરી રહી છે. તંત્રની ઢીલી નીતીને લઇને હોસ્પિટલો બેફામ બની છે. જેના કારણે અનેક ગરીબ અને મધ્યમવર્ગના દર્દીઓને કાંતો પૈસા ખર્ચવા પડી રહ્યા છે અથવા તો હોસ્પિટલ તંત્ર સાથે સંઘર્ષમાં ઉતરવું પડે છે.ખાનગી હોસ્પિટલો માં વાત્સલ્ય યોજના હેઠળ સમાવી લીધી હોવા છતાં અનેક હોસ્પિટલો માં કાર્ડ ધારકો પાસેથી સારવાર બદલ નાણાં વસૂલી રહી છે. આ અંગે વખતોવખત રાવ ઉઠવા છતાં તંત્ર ઊંઘમાંથી જાગ્યું નથી.
શું છે માં વાત્સલ્ય યોજના?
રાજ્ય સરકાર દ્વારા ગરીબો માટે માં કાર્ડ હેઠળની કેટલીક હોસ્પિટલોમાં સારવાર ફ્રી કરવાની જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ આ યોજનાના અમલમાં ડાંડાઇને લઇને દર્દીઓ લૂંટાઈ રહ્યા છે. મે-2014થી માં વાત્સલ્ય યોજના ગુજરાતમાં લાગુ કરવામાં આવી હતી. તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેન પટેલે આ યોજના શરૂ કરી હતી. સરકારી અને ગ્રાન્ટેડ હોસ્પિટલ પણ યોજના હેઠળ આવે છે. વાર્ષિક 1.20 લાખથી ઓછી આવક ધરાવતા કુટુંબને મફત સારવાર આપવાની હોય છે. મધ્યમ વર્ગની મહિલાઓ અને બાળકોને પણ નિ:શુલ્ક સારવાર આપવાની હોય છે. એક કુટુંબમાં 5 વ્યક્તિ સુધી આ યોજનાનો લાભ લઈ શકે છે. કુટુંબને 3 લાખ સુધીની સારવાર હોસ્પિટલે નાણાં લીધા વિના કરવાની હોય છે. સરકારે યોજના માટે ખાનગી હોસ્પિટલ્સને કરારબદ્ધ કરેલી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
લોકસભા ચૂંટણી 2024 / કોંગ્રેસના ઉમેદવારોને 15 કરોડ આપીને..' VTV સાથેની ખાસ વાતમાં જુઓ શું શું બોલ્યા શક્તિસિંહ
surat
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
ગાંધીનગર / હીટવેવને લઇ ગુજરાતનું આરોગ્ય તંત્ર એલર્ટ, વહીવટી તંત્રને આપ્યો તમામ સુવિધાઓ પૂરી પાડવાનો આદેશ
Heat due System alert
આતંકી હુમલો / મણિપુરમાં મોડી રાત્રે કુકી આતંકવાદીઓએ CRPF બટાલિયન પર કર્યો હુમલો, બે જવાન શહીદ
Indian army