2017ની રાજ્યસભાની ચૂંટણીના વિવાદનો મામલે જજે નારાજગી દર્શાવી છે. હાઈકોર્ટના જજે પરેશ ધાનાણી સામે નારાજગી દર્શાવી છે. વકીલના પ્રશ્નોના સીધા જવાબ ન આપતા જજ લાલઘુમ થઇ ગયા છે. જજે જણાવ્યુ છે કે સીધો જવાબ ન આપો તો હું એની નોંધ લઈશ. આ કોઈ મનોરંજન પૂરું પાડવાનું સ્થળ નથી.
ઉલ્લેખનીય છે કે, ગુજરાતની રાજ્યસભાની ચૂંટણી મુદ્દે ચૂંટણીપંચે બંને બેઠકોની ચૂંટણી અલગ-અલગ યોજવાનું નોટિફિકેશન જાહેર કર્યું છે. બહુમતીના જોરે ભાજપ રાજ્યસભાની બંને બેઠકો જીતી જાય તેવી શક્યતા સર્જાઈ છે. ત્યારે કોંગ્રેસે આ મામલે ભાજપ અને ઈલેક્શન કમિશનના મિલિભગતના આરોપો કર્યા હતા અને આ નોટિફિકેશનને કોર્ટમાં પડકાર્યું હતું.
રાજ્યસભાના નોટિફિકેશન બાદ ગુજરાતના વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી દિલ્હી પહોંચ્યા હતા. રાજ્યસભાના નોટિફિકેશન મુજબ ગુજરાતમાં કોંગ્રસના ઉમેદવારની જીતવાની શક્યતા નહોતી ત્યારે આ નોટિફિકેશનને સુપ્રીમ કોર્ટમાં પડકારવા માટે પરેશ ધાનાણી દિલ્હી ગયા હતા અને હાઇકમાન્ડ સાથે વાતચીત કરી હતી.
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) July 8, 2019
ત્યારે આજરોજ આ મામલે યોજાયેલ ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી સમયે વકીલના પ્રશ્નોના સીધા જવાબ ન આપતા જજે પરેશ ધાનાણી સામે નારાજગી દર્શાવી હતી અને અને સીધો જવાબ આપવા માટે ટકોર કરી હતી.