ગુજરાતમાં એક તરફ કોરોના વાયરસ મહામારીનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે. કોરોના મહામારીને લઇને રાજ્યભરમાં લોકડાઉન 4નો અમલ કરવામાં આવી રહ્યો છે. ત્યારે રાજ્યમાં લોકડાઉનના પગલે શિક્ષણ કાર્ય પણ તેની અસર જોવા મળી રહી છે. બીજી તરફ રાજ્યમાં પરીક્ષાને લઇને GTU એ જાહેરાત કરી છે કે જે વિદ્યાર્થીઓ પરીક્ષામાં હાજર રહેશે તેમની પાસે જ ફી લેવામાં આવશે.
GTUની પરીક્ષાને લઈને મહત્વની જાહેરાત
વિદ્યાર્થીઓ પરીક્ષામાં હાજર હશે તેની જ ફી લેવાશે
આગામી સમયમાં યોજવવાની છે પરીક્ષા
પ્રાપ્ત મળતી વિગત અનુસાર ગુજરાતના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની જાહેરાત બાદ GTU દ્વારા આગામી પરીક્ષાને લઇને નિર્ણય લેવામાં આવ્યો છે. પરીક્ષાને લઇને GTU દ્વારા મહત્વની જાહેરાત કરવામાં આવી છે.
GTU દ્વારા પરીક્ષાને લઇને મહત્વની જાહેરાતમાં જણાવાયું છે કે જે વિદ્યાર્થીઓ પરીક્ષામાં હાજર રહેશે તેમની પાસે જ ફી લેવામાં આવશે. આગામી સમયમાં GTUની પરીક્ષા યોજાવાની છે. આ સાથે જે વિદ્યાર્થીઓ પરીક્ષા નહીં આપી શકે તેમની પાસેથી ફી નહીં લેવાય.