બોટાદના લઠ્ઠાકાંડ મામલે કેમિકલ કાંડ મામલે મોટો ખુલાસો થયો છે. જેમાં અમદાવાદના પીપળજના દેવરાજ ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં આવેલી A MOS કંપનીમાં મેનેજરની નોકરી કરતાં જયેશે ગોડાઉનમાંથી કેમિકલની ચોરી કરી પિન્ટુને આપી હતી. પિન્ટુએ તે કેમિકલ બરવાળા અને ધંધુકાના બુટલેગરોને આપ્યું હતું. જેથી હવે આ લઠ્ઠાકાંડ કેમિકલ કાંડમાં પરિવર્તિત થઇ ગયો છે.
જુઓ લઠ્ઠાકાંડમાં કેમિકલકાંડના તાર છેક ક્યાં સુધી જોડાયેલા?
તમને જણાવી દઇએ કે, આ લઠ્ઠાકાંડમાં જયેશ અને પિન્ટુ નામના આરોપીઓની ધરપકડ કરી લેવાઇ છે. જેમાં જયેશે અમદાવાદની કંપનીના ગોડાઉનમાંથી કેમિકલ ચોર્યું હતું. જે પિન્ટુ ઉર્ફે સંજયને આપવામાં આવ્યું હતું. આ કેમિકલ પિન્ટુ (બુટલેગર) એ કે જેની ધરપકડ કરી લેવામાં આવી છે તેને નાના બુટલેગરને વેચ્યું.
બાદમાં આ કેમિકલ કે જેમાં પાણી મિલાવીને તેનું ગામમાં ટુકડે-ટુકડે વેચાણ કરાતું. તમને જણાવી દઇએ કે, કેમિકલના આ પદાર્થમાં 99% મિથાઇલ આલ્કોહોલનું પ્રમાણ જોવા મળ્યું છે. બોટાદમાં કથિત લઠ્ઠાકાંડ મામલે FSLના રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. પોલીસ જપ્ત કરેલા દારૂનો FSL રિપોર્ટ આવી ગયો છે. જેમાં દારૂ નહીં પણ કેમિકલ હોવાની સ્પષ્ટતા કરવામાં આવી છે. K અને L નમૂનામાં મિથાઇલ આલ્કોહોલનું પ્રમાણ 98.71 તથા 98.99 આવ્યું છે. જ્યારે ઇથાઇલ આલ્કોહોલનું પ્રમાણ શૂન્ય આવ્યું છે. આ અંગે કેમિકલ કાંડના FSL રિપોર્ટમાં ખુલાસો થયો છે. જો કે, ખુદ DGP આશિષ ભાટિયાએ પણ કેમિકલમાં પાણી ભેળવીને તેનું ગામના લોકોને વેચાણ કરાયું હોવાનું જણાવ્યું છે.
જુઓ કયા-કયા ગામડાઓ સુધી કેમિકલ ગયું?
રોજિદ, ઉંચડી, અણિયારી, આકરૂ, ચદરવા અને દેવગના નામના ગામડાઓમાં કેમિકલ પહોંચાડવામાં આવ્યું હતું.
આ કેસમાં કુલ 14 આરોપીઓની ધરપકડ કરાઇ
તો સમગ્ર ઘટનાના તાર અમદાવાદ સાથે પણ જોડાયેલા છે.અમદાવાદના પીપળજના દેવરાજ ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં આવેલીA MOS કંપનીમાં મેનેજરની નોકરી કરતાં જયેશે ગોડાઉનમાંથી કેમિકલની ચોરી કરી હતી. ક્રાઇમબ્રાંચ દ્વારા તેની પણ ધરપકડ કરવામાં આવી છે.. કેમિકલ બુટલેગર સુધી પહોંચાડ્યા બાદ તેમાં પાણીનું મિશ્રણ કરી બુટલેગરો દેશી દારૂ તરીકે વેચાણ કરતાં હતા. કેમિકલ યુક્ત દારૂ પીવાથી 31 લોકોના મોત નિપજ્યા છે. જ્યારે અત્યાર સુધીમાં આ કેસમાં કુલ 14 આરોપીઓની ધરપકડ કરાઇ છે. જેઓની વિરૂદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. તેઓની વિરૂદ્ધ કલમ 302, 308 અને 120 મુજબ દારુમાં કેમિકલ ભેળવી મોત નિપજાવ્યાનો ગુનો નોંધાયો છે.
ATS અને ક્રાઇમ બ્રાન્ચની ટીમે ફરાર આરોપીઓની શોધખોળ હાથ ધરી
વધુમાં તમને જણાવી દઇએ કે, બોટાદના બરવાળામાં કથિત લઠ્ઠાકાંડ મામલે ગુજરાત ATS અને ક્રાઇમ બ્રાન્ચની ટીમે ફરાર આરોપીઓની શોધખોળ શરૂ કરી છે. જુદી-જુદી ટીમોએ બુટલેગરના નિવાસસ્થાને સર્ચ કર્યું છે. 8 વોન્ટેડ બુટલેગરની શોધખોળ હાથ ધરાઇ છે. બુટલેગરે ઝેરી કેમિકલમાં પાણી નાખીને દેશી દારૂમાં પીવડાવી દીધું.