અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં 20 દિવસની બાળકીની બુટલેગરે હત્યા કરી છે.. ત્યારે હવે પોસ્ટમોર્ટમ બાદ બાળકીનો મૃતદેહ નિવાસ સ્થાને લવાયો છે. બાળકીના મોતથી પરિવારમાં શોકનો માહોલ જોવા મળ્યો છે.. મળતી માહિતી મુજબ બુટલેગર સતિષ સહિતના શખ્સોએ ઘરમાં ઘૂસીને પરિવાર પર હુમલો કર્યો હતો. આ દરમિયાન મહિલા સાથે મારામારીમાં બાળકીને ભારે ઈજા પહોચી હતી. ઈજાગ્રસ્ત બાળકીનું હોસ્પિટલમાં ટૂંકી સારવાર બાદ મોત થયું છે. બાળકીના મોતથી સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો છે. આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં રોષનો માહોલ જોવા મળ્યો છે.