કોરોના મહામારી પહેલાં પણ બીઆરટીએસ બસ સર્વિસને દર વર્ષે ઓછામાં ઓછું રૂ.૧રથી ૧પ કરોડનું આર્થિક નુકસાન થતું હતું, પરંતુ કોરોનાએ તો બીઆરટીએસ બસ સર્વિસને પડતા પર પાટું માર્યું છે.
બીઆરટીએસ સંસ્થા પરનું ૧૦ વર્ષનું રૂ.૧ર૦૦ કરોડનુ ભારણ ઓછું થયું
૧૦ દિવસમાં કેન્દ્રની સબસિડી ધરાવતી ૩૦૦ ઈ-બસના ટેન્ડરને પણ મંજૂર
સબસિડી ધરાવતી ૩૦૦ ઇ-બસના મામલે પણ અનિશ્ચિતતાનાં વાદળ ઘેરાયાં
સામાન્ય દિવસોમાં રોજના ૧.પ૦ લાખ પેસેન્જર અને રૂ.ર૦ લાખની આવક ધરાવતી બીઆરટીએસ બસ સર્વિસની જૂન-જુલાઇ કરતાં સ્થિતિ કંઇકઅંશે સુધરી છતાં કોરોનાના ડરથી દરરોજના માંડ ૬૦,૦૦૦ પેસેન્જર મળી રહ્યા છે, જેના કારણે તેની રોજની આવક રૂ.૮ લાખ થતાં આવકમાં રોજેરોજ રૂ.૧ર લાખ અને મહિને રૂ.૩.૬૦ કરોડનો જંગી ફટકો પડી રહ્યો છે. ચાલુ વર્ષના એપ્રિલથી સપ્ટેમ્બરના છ મહિનામાં જ સંસ્થા રૂ.ર૦ કરોડના ખોટના ખાડામાં ધકેલાઇ ગઇ હતી. આના કારણે બીઆરટીએસ બસ સર્વિસમાં જબ્બર નાણાકીય કટોકટી ઊભી થતાં તેના નવા ઈ-બસના પ્રોજેક્ટ પર માઠી અસર પડી છે.
બીઆરટીએસ સંસ્થા પરનું ૧૦ વર્ષનું રૂ.૧ર૦૦ કરોડનુ ભારણ ઓછું થયું
ગત તા.૧ ઓગસ્ટે કોરોના મહામારીના પગલે મ્યુનિ. તંત્ર દ્વારા જાહેર કરાયેલા ફોર્સ મેજર હેઠળ રૂ.૧ર૦૦ કરોડના વિભિન્ન પ્રોજેક્ટને પડતા મુકાયા હતા, જેમાં કેન્દ્રની સબસિડી વગરની ૩૦૦ ઈ-બસના પ્રોજેક્ટનો પણ સમાવેશ કરાયો હતો. સપ્ટેમ્બર-ર૦૧૯માં બીઆરટીએસના સત્તાવાળાઓએ સબસિડી વગરની ૩૦૦ ઇ-બસના ૧૦ વર્ષના કોન્ટ્રાક્ટને લીલી ઝંડી આપીને ભારે વિવાદ વહોરી લીધો હતો. ટાટા કંપનીને ૧૦ વર્ષના ઓપરેશન અને મેન્ટેનન્સના કોન્ટ્રાક્ટ પેટે બસ ચલાવવા પ્રિત કિ.મી. રૂ.૬૧નો ભાવ નક્કી કરાયો હતો, જેમાં કેન્દ્રની પ્રતિ બસ રૂ.૪પ લાખની સબસિડી ગુમાવવી પડી હતી, જોકે આ કોન્ટ્રાક્ટ રદ થવાથી બીઆરટીએસ સંસ્થા પરનું ૧૦ વર્ષનું રૂ.૧ર૦૦ કરોડનુ ભારણ ઓછું થયું છે.
૧૦ દિવસમાં કેન્દ્રની સબસિડી ધરાવતી ૩૦૦ ઈ-બસના ટેન્ડરને પણ મંજૂર
બીઆરટીએસના સત્તાવાળાઓએ તે સમયગાળામાં ૧૦ દિવસમાં કેન્દ્રની સબસિડી ધરાવતી ૩૦૦ ઈ-બસના ટેન્ડરને પણ મંજૂર કર્યું હતું, જોકે બીઆરટીએસની નવી ૬૦૦ ઈ-બસને બીઆરટીએસ કોરિડોરમાં દોડાવવાની જગ્યા જ ન હોઇ શાસક ભાજપ અને વિપક્ષ કોંગ્રેસે વિરોધ દર્શાવ્યો હતો.
સબસિડી ધરાવતી ૩૦૦ ઇ-બસના મામલે પણ અનિશ્ચિતતાનાં વાદળ ઘેરાયાં
જોકે કેન્દ્રની સબસિડી ધરાવતી ૩૦૦ ઇ-બસના મામલે પણ અનિશ્ચિતતાનાં વાદળ ઘેરાયાં છે. બીઆરટીએસના સત્તાવાળાઓએ ટાટાને ૧૮૦ બસ અને જેબીએમ કંપનીને ૧ર૦ બસ રોડ પર મૂકવાનો કોન્ટ્રાક્ટ આપ્યો છે. આ બંને કંપનીને આઠ વર્ષના મેન્ટેનન્સ અને ઓપરેશનની જવાબદારી સોંપાઇ છે. બીઆરટીએસ કોરિડોરમાં બસ દોડાવવા માટે પ્રતિ કિ.મી. રૂ.પ૪નો ભાવ નક્કી પણ કરાયો છે.
સબસિડી ધરાવતી ૩૦૦ ઇ-બસની ડિલિવરી વિલંબમાં મુકાતાં ઓગસ્ટ મહિનાના છેલ્લા અઠવાડિયામાં સત્તાધીશોએ ટાટા અને જેબીએમને નોટિસ પણ ફટકારી હતી, જોકે મ્યુનિ. કોર્પોરેશનમાં જેે પ્રકારે તમામ પ્રોજેક્ટમાં અનિશ્ચિતતાનો કલોઝ અમલમાં મુકાયો છે તે જ રીતે આશરે રૂ.પ૦૦ કરોડના ઇ-બસના આ ટેન્ડરમાં પણ બીઆરટીએસના સત્તાવાળાઓને પ૦થી ૭પ ટકાનો કાપ મૂકવો પડ્યો હોવાનું જાણવા મળ્યું છે. હવે બીઆરટીએસ કોરિડોરમાં ૩૦૦ ઇ-બસના બદલે માંડ ૧૦૦થી ૧રપ બસ દોડતી કરાશે.
દરરોજની સરેરાશ ર૬૦ બસ કોરિડોરમાં દોડાવવામાં આવતી
અત્યારે શહેરમાં બીઆરટીએસનાે કુલ ૧૦૪ કિ.મી.નો વ્યાપ હોઇ ૧૪૩ બસ સ્ટેશન અને ર૦ કેિબન મળીને કુલ ૧૬૩ સ્ટેશન-કેિબન છે. સત્તાવાળાઓ દ્વારા દરરોજની સરેરાશ ર૬૦ બસ કોરિડોરમાં દોડાવવામાં આવતી હોઇ તેમાં ફેબ્રુઆરી-ર૦ર૧ના અંત પહેલાં વધુ ૧૦૦-૧રપ ઇ-બસ જોડાતાં બસનો કાફલો ૩૬૦થી ૩૮પનો થશે. ત્યાર બાદ પેસેન્જર માટે હાલના ૧૪ રૂટની સંખ્યા તેમજ બસની સંખ્યામાં પણ ઉલ્લેખનીય વૃદ્ધિ કરાશે.