અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં સોસાયટીના કોમન પ્લોટમાં શરૂ કરવામાં આવેલી હોસ્પિટલના સંચાલકોની દાદાગીરી સામે આવી છે. શહેરના શાહીબાગ વિસ્તારમાં આવેલી ભારતી વલ્લભ હોસ્પિટલે સોસોયટીના કોમન પ્લોટમાં OPD શરૂ કરતા હોસ્પિટલ સંચાલકના દિકરાની દાદાગીરી સામે આવી છે. હોસ્પિટલના સંચાલકના દિકરાએ VTV Newsના કવરેજને રોકવાનો પ્રયાસ કર્યો તેમજ રિપોર્ટર સાથે દાદાગીરીભર્યું વર્તન કર્યું છે.
અમદાવાદની ભારતી વલ્લભ હોસ્પિટલની દાદાગીરી
હોસ્પિટલ સંચાલકના દિકરાની દાદાગીરી
VTV NEWSના કવરેજને રોકવા માટે કર્યો પ્રયાસ
અમદાવાદમાં શાહીબાગ વિસ્તારમાં આવેલી ભારતી વલ્લભ હોસ્પિટલની દાદાગીરી સામે આવી છે. વલ્લભ હોસ્પિટલ દ્વારા નિયમોનું ઉલ્લંઘન કરી અને સોસાયટીના કોમન પ્લોટમાં ઓપીડી શરૂ કરી દીધી છે.
જ્યારે વીટીવીના રિપોર્ટર ભારતી વલ્લભ હોસ્પિટલમાં બેદરકારીનો ખુલાસો કરવા પહોંચ્યા તો હોસ્પિટલના સંચાલકના દીકરાએ દાદાગીરી. અને વીટીવીની ટીમ પર હુમલો કર્યો. હોસ્પિટલ સંચાલકના દીકરાએ વીટીવીના રિપોર્ટર પર હુમલો કરી અને બહાર કાઢવાનો પણ પ્રયાસ કર્યો.
સળગતા સવાલ
સોસાયટીમાં તબીબ દ્વારા કેમ હોસ્પિટલ ચાલુ કરાઈ?
કવરેજ કરતા સમયે મીડિયા પર કેમ કર્યો હુમલો?
આ હોસ્પિટલની અંદર શું ચાલી રહ્યું છે?
હોસ્પિટલ સંચાલકના દીકરીની દાદાગીરી ક્યા સુધી ચાલશે?
કોવિડ હોસ્પિટલને OPD શરૂ કરવાની પરવાનગી કોણે આપી?
કોમ પ્લોટમાં કોવિડ હોસ્પિટલ OPD કઈ રીતે શરૂ કરી શકે?
સ્થાનિકોમાં સંક્રમણ ફેલાયું તો જવાબદારી કોની?
શું તંત્રને આ વાતની જાણ નથી?
આ રીતે આડેધડ કોવિડ હોસ્પિટલની OPDની મંજૂરી મળી જાય?
વહીવટી તંત્ર કેમ ઘોર નિંદ્રામાં છે?
ચોથી જાગીર પર હુમલો થાય છે એ કેટલું યોગ્ય?
દાદાગીરી સામે અવાજ ઉઠાવવો એ ગુનો છે?
સત્ય સામે અવાજ ઉઠાવવો એ ગુનો છે?
અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં આવેલ શ્રી ભારતી વલ્લભ હોસ્પિટલના ડોક્ટર રામપ્રકાશ કોઠારી અને તેમના પત્નીની દાદાગીરી સામે આવી હતી. ડૉ. રામપ્રકાશ કોઠારીએ હોસ્પિટલની બાજુમાં આવેલ સોસાયટીના કોમન પ્લોટમાં જ પ્લાસ્ટીકનો શેડ બનાવી કામચલાઉ કોવિડ હોસ્પિટલ બનાવી હતી. જેને લઈને જયેશ્વર સોસાયટી અને LR એપાર્ટમેન્ટના લોકોએ વિરોધ કર્યો હતો.
જાહેર આરોગ્યનું ધ્યાન રાખ્યા વગર અને કોર્પોરેશનના અધિકારીઓની મીલી ભગતથી કોવિડના નિયમને નેવે મુકીને હોસ્પિટલ શરૂ કરવામાં આવી હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો. ત્યારે આ સમગ્ર ઘટનામાં તંત્ર પર પણ સવાલ ઉભા થઈ હતા કે, ફાયર સેફ્ટી અને NOC વગર કોવિડ હોસ્પિટલ ચલાવવા માટે પરમિશન આપવી કેટલી યોગ્ય છે? શા માટે લોકોના જીવ જોખમમાં મૂકીને આવા ડોક્ટરો અને હોસ્પિટલને છાવરવામાં આવે છે.