અમદાવાદમાં આ વર્ષે ભગવાન જગન્નાથની 144મી રથયાત્રા નીકળશે તેવી સૂત્રો દ્વારા vtv પાસે સચોટ માહિતી સામે આવી છે, તંત્રએ રથયાત્રા કાઢવાની તૈયારીઓ પણ પૂર્ણ કરી દીધી છે
અમદાવાદમાં ભગવાન જગન્નાથ રથયાત્રાને લઇ મોટા સમાચાર
રથયાત્રા નીકળશે કે નહી તે અંગે સૌથી મોટા સચોટ સમાચાર
VTV ન્યૂઝ પાસે રથયાત્રા અંગે છે સચોટ માહિતી
અમદાવાદમાં ભગવાન જગન્નાથ રથયાત્રાને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. રથયાત્રા નીકળશે કે, નહીં તે અંગે સૌથી મોટા અને સચોટ સમાચાર સામે આવ્યા છે. આ વર્ષે ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળશે. સૂત્રો દ્વારા vtv પાસે સચોટ માહિતી આવી છે. તંત્રએ રથયાત્રા કાઢવાની તૈયારીઓ પણ પૂર્ણ કરી દીધી છે. જનતા કર્ફ્યૂની વચ્ચે શહેરમાં રથયાત્રા નીકળશે. મહંતની જીપ, ત્રણેય રથ અને પોલીસ બંદોબસ્ત વચ્ચે ભગવાન જગન્નાથની 144મી રથયાત્રા નગરયાત્રા કરશે.
રથયાત્રામાં સામાન્ય જનતા જોડાઈ શકશે નહીં. કોરોના પ્રોટોકોલને લઇ સરકાર રથયાત્રા માટે ગાઇડલાઇન પણ જાહેર કરશે. કોરોના ગાઇડલાઇન્સ તેમજ પ્રોટોકોલ હેઠળ રથયાત્રાને કાઢવામાં આવશે. તો પોળમાં રહેતા લોકોએ રથયાત્રાને લઈ પોતાની લાગણી વ્યક્ત કરી છે. સરકારની ગાઇડલાઇન મુજબ રથયાત્રા નીકળશે તો નિયમોનું પાલન કરવાની ખાતરી આપી છે. માહિતી પ્રાપ્ત થતા પોળમાં જય રણછોડ, માખણ ચોરના નાદ પણ ગુંજ્યા છે.
મહત્વનું છે કે, ભગવાન જગન્નાથજીની 144મી રથયાત્રાને લઈને તૈયારીઓ શરુ કરી દીધી છે. ત્યારે નાથના દર્શનનો લાહવો લેવા સૌ નગરજનો પણ અધીરા બન્યા છે. જળયાત્રા અને રથયાત્રાની મંદિરમાં તૈયારીઓ તો પહેલા જ શરૂ થઈ ચૂકી છે. જેમાં પરંપરાગત 18 ગજરાજ જળયાત્રામાં હાજર રહેશે. ગજરાજને અન્ય રાજ્યોમાંથી મંદિર લાવવા માટે આમંત્રણ અપાયું છે. મંદિરના મુખ્ય ગજરાજ ભુદર નદીના આરે જળયાત્રામાં રહશે. જયારે 17 ગજરાજ મંદિરના પ્રાંગણમાં રહેશે. નગરના નાથના વાઘા બનાવવા માટે મંદિરમાં તૈયારીઓ શરૂ કરી દેવાઇ છે. વાઘા બનાવનારને મંદિરમાં બોલાવી ભગવાનના વાઘા કેવા બનાવવા. તે અંગે પણ મંદિરના મહંતે ચર્ચા કરી છે અને રજવાડી વેશના વાઘા બનાવવા ઓર્ડર અપાયો છે. વાઘા બનવવા માટે સ્પેશિયલ વૃંદાવન અને મથુરાથી કાપડ મંગાવ્યું છે.
અમદાવાદની 144મી જગન્નાથજીની રથયાત્રાની પરવાનગી મળે તે પહેલા જ હવે કોર્પોરેશન તરફથી પણ તૈયારીઓ શરુ કરાઈ છે. રથયાત્રા પહેલા રસ્તાઓનું સમારકામ શરુ કરવા આદેશ કરાયો છે. જેથી જગન્નાથ મંદિર બહાર રોડ પર પડેલા ખાડાઓ દૂર કરવા તંત્રએ કામગીરી શરૂ કરી છે. કોર્પોરેશન દ્વારા જળયાત્રા પહેલા જ ખાડાઓ પુરવામાં આવ્યા છે. રથયાત્રાના રૂટ પર રસ્તાના સમારકામ અને ખાડાઓ પૂરવા તંત્રે ઝડપી કામગીરી હાથ ધરી છે. નોંધનીય છે કે, ભગવાન જગનાથજીની 144મી રથયાત્રાની મંજૂરી પર હજી અસમંજસ છે.