સુગર સિઝન ઓક્ટોબર-સપ્ટેમ્બરમાં હોય છે પણ આ વર્ષે આ સિઝન વરસાદી બની રહી છે. ઓક્ટોબરમાં વરસાદી ઝાપટાઓએ મહારાષ્ટ્ર અને ગુજરાતની ખેતી, વાવેતર અને ઉત્પાદનના સમીકરણો બદલી નાંખ્યા છે. સુગર સિઝનમાં ડિસ્ટબન્સ ખાંડના ભાવમાં ભડકો કરશે
ખાંડના ઉત્પાદનમાં 12.38 ટકાનો ઘટાડો થવાનો અંદાજ
દેશમાં સુગર સિઝન ઓક્ટોબરથી સપ્ટેમ્બર ગણાય
અગાઉના વર્ષે 400 લાખ ટન શેરડીનો પાક થયો હતો
વાવાઝોડાને વરસાદને કારણે ખાંડનો સ્વાદ કડવો બની રહેશે. રોજીંદા વપરાશમાં ખાંડ એ એક મહત્વનો પદાર્થ બની ગયુ છે. ત્યારે ઉત્પાદનમાં ઘટાડાને પગલે તેના ભાવમાં પણ ભડકો થવાની સંભાવના છે. હાલ સુગર સિઝન ચાલી રહી છે પણ કુદરત જાણે શિયાળા અને ચોમાસામાં આંખમિંચાણાની રમત કરતી હોય તેમ રમત માંડી છે ત્યારે કમોસમી વરસાદ ખાંડનો સ્વાદ બગાડી રહ્યો છે.
ખાંડના ઉત્પાદનમાં 12.38 ટકાનો ઘટાડો થવાનો અંદાજ
મહારાષ્ટ્રમાં ખાદ્યપદાર્થોના તીવ્ર ઘટાડાને લીધે દેશમાં સુગર સીઝન-2019-20માં ખાંડના ઉત્પાદનમાં 12.38 ટકાનો ઘટાડો થવાનો અંદાજ છે, ત્યારબાદ ઉત્પાદન 28-29 મિલિયન ટન થવાની ધારણા છે. 2018-19 (ઓક્ટોબર-સપ્ટેમ્બર) ના માર્કેટિંગ વર્ષ દરમિયાન ખાંડનું ઉત્પાદન 33.1 મિલિયન ટન રહ્યું છે. નોંધનિય છે કે, વર્ષ 2018-19ની પિલાણ સિઝન દરમિયાન દેશમાં 331 લાખ ટન ખાંડનું ઉત્પાદન થયું છે. દેશમાં સુગર સિઝન ઓક્ટોબરથી સપ્ટેમ્બર ગણાય છે.
મહારાષ્ટ્રમાં દૂષ્કાળ અને ત્યારબાદ ભયંકર પૂરના લીધે ઉત્પાદનમાં ઘટાડો
સરકારી અધિકારીનું કહેવુ છે કે, એકંદર ઉત્પાદનમાં ઘટાડાનું મુખ્ય કારણ મહારાષ્ટ્રમાં દૂષ્કાળ અને ત્યારબાદ ભયંકર પૂરના લીધે ઉત્પાદનમાં અપેક્ષિત તીવ્ર ઘટાડો છે. મહારાષ્ટ્ર એ ભારતમાં ખાંડનો બીજા ક્રમના સૌથી મોટો ઉત્પાદક રાજ્ય છે. ચાલુ વર્ષે મહારાષ્ટ્રમાં ખાંડનું ઉત્પાદન 40 લાખ ટન જેટલું થવાની ધારણા છે.
અગાઉના વર્ષે 400 લાખ ટન શેરડીનો પાક થયો હતો
સુગર મિલોએ આંશિક પિલાણની કામગીરી શરૂ કરી દીધી છે પરંતુ 15 નવેમ્બરથી પુરજોશમાં કામકાજ શરૂ થશે. દેશમાં હાલ 534 સુગર મિલો આવેલી છે. કૃષિ મંત્રાલયના પ્રથમ અંદાજ મુજબ ચાલુ વર્ષે દેશમાં 377.77 લાખ ટન શેરડીનું ઉત્પાદન થવાની ધારણા છે જ્યારે તેની અગાઉના વર્ષે 400 લાખ ટન શેરડીનો પાક થયો હતો.
શેરડીના વાજબી અને પોષણક્ષમ ભાવ (FRP)
સરકારે ચાલુ માર્કેટિંગ વર્ષ માટે શેરડીના વાજબી અને પોષણક્ષમ ભાવ (FRP) રૂ. 275 પ્રતિ ક્વિન્ટલ નક્કી કર્યા છે. FRP એ ભાવ છે જે શેરડીના ખેડૂતોને સુગર મિલો પાસેથી તેટલાં ભાવ મળવાની ખાતરી આપે છે. આ પાક જેનો રિકવરી રેટ 10 ટકા છે, જેમાં દર 0.1 ટકાની વૃદ્ધિ સામે પ્રતિ ક્વિન્ટલે વધુ 2.75 રૂપિયા મળશે.
ભાવ નક્કી કરવામાં અવઢવ
આંધ્રપ્રદેશ, કર્ણાટક અને મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાં ખેડૂતોને કેન્દ્ર સરકાર દ્વારા નિર્ધારિત FRPના આધારે ચૂકવણી કરવામાં આવે છે. ઉત્તરપ્રદેશ, તમિલનાડુ જેવા અન્ય સ્થળોએ રાજ્યો ભાવ નક્કી કરે છે.