મંગળવારે એક કાર્યક્રમ દરમિયાન CM મમતા બેનર્જીએ કહ્યું, 'મને કેન્દ્ર તરફથી એક પત્ર મળ્યો છે જેમાં તેમણે રાજ્ય સરકારને 4 વર્ષ પછી અગ્નિવીરોને નોકરી આપવાની અપીલ કરી છે.
પ.બંગાળના CM મમતા બેનર્જીએ અગ્નિપથ યોજના પર ઉઠાવ્યા સવાલ
CM બેનર્જીએ કહ્યું, હું ભાજપના કાર્યકરોને નોકરી આપું
આ પહેલા પણ CM બેનર્જીએ અગ્નિપથ યોજના પર BJP પર નિશાન સાધ્યું
પશ્ચિમ બંગાળના CM મમતા બેનર્જીએ અગ્નિપથ યોજના પર ઉઠાવ્યા સવાલ
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ફરી એકવાર અગ્નિપથ યોજના પર સવાલ ઉઠાવ્યા છે. તેમણે અગ્નિવીરોને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા ગણાવ્યા છે. સાથે જ તેમને નોકરીમાં પ્રાથમિકતા આપવાનો પણ ઇનકાર કરવામાં આવ્યો છે. તેમણે આ જવાબ કેન્દ્ર તરફથી મળેલા પત્રના જવાબમાં આપ્યો છે. આ પહેલા પણ CM બેનર્જી ભાજપ પર અગ્નિપથ યોજના દ્વારા સશસ્ત્ર કેડર બનાવવાનો આરોપ લગાવી ચુક્યા છે.
#WATCH | #Agnipath: I received a letter (from the Centre) in which they urged the state govt to give jobs to Agniveers after 4yrs. They want me to give jobs to BJP workers... why should we?... First priority will be given to state youth: West Bengal CM Mamata Banerjee (28.06) pic.twitter.com/GQ2wDdzieQ
CM બેનર્જીએ કહ્યું, હું ભાજપના કાર્યકરોને નોકરી આપું
ઉલ્લેખનીય છે કે, મંગળવારે એક કાર્યક્રમ દરમિયાન CM બેનર્જીએ કહ્યું, 'મને કેન્દ્ર સરકાર તરફથી એક પત્ર મળ્યો છે. જેમાં તેમણે રાજ્ય સરકારને 4 વર્ષ પછી અગ્નિવીરોને નોકરી આપવાની અપીલ કરી છે. તેઓ ઈચ્છે છે કે હું ભાજપના કાર્યકરોને નોકરી આપું.આપણે આવું શા માટે કરીએ?... રાજ્યના યુવાનોને પ્રથમ પ્રાથમિકતા આપવામાં આવશે.
CM બેનર્જીએ અગ્નિપથ યોજના પર ભાજપ પર નિશાન સાધ્યું હતું.
આ પહેલા પણ CM બેનર્જીએ અગ્નિપથ યોજના પર ભાજપ પર નિશાન સાધ્યું હતું. કેન્દ્રના પત્ર અંગે તેમણે કહ્યું હતું કે, 'આર્મ્ડ ફોર્સના એક કર્નલ તાજેતરમાં મને આ વિનંતી સાથે એક પત્ર મોકલ્યો હતો. પણ આપણે ભાજપની ડસ્ટબીન કેમ સાફ કરીએ? જ્યારે કેન્દ્ર ચાર વર્ષ પછી તેમને મુક્ત કરશે, ત્યારે રાજ્યએ તેમને સંપૂર્ણ કાર્યકાળની નોકરી આપવાની જવાબદારી શા માટે લેવી જોઈએ? તેઓ 60 વર્ષ પૂરા કરે ત્યાં સુધી તેમને સૈનિક તરીકે પૂર્ણ કાર્યકાળ આપવાની જવાબદારી કેન્દ્ર શા માટે નથી લેતું?'
મમતા બેનર્જીએ અગ્નિપથ યોજનાને લોલીપોપ ગણાવી
એક સ્થાનિક મીડિયા સાથે વાતચીત દરમિયાન તૃણમૂલ કોંગ્રેસના વડા અને પશ્ચિમ બંગાળના CM બેનર્જીએ અગ્નિપથ યોજનાને મત મેળવવા અને ગુંડાઓ અને કેડર બનાવવા માટે ભાજપની 'લોલીપોપ' ગણાવી હતી. વિધાનસભામાં તેમના સંબોધનમાં, બેનર્જીએ કહ્યું, "અગ્નિપથ વાસ્તવમાં ભાજપ કેડર રચનાનો પ્રોજેક્ટ છે. કેન્દ્ર યુવાનોને કાયમી નોકરી આપે એ અલગ વાત છે, પરંતુ અગ્નિપથ વાસ્તવમાં ચાર વર્ષની લોલીપોપ છે. ચાર વર્ષ પછી તેમને બંદૂકનો ઉપયોગ કરવાની મંજૂરી મળશે અને તે પછી તેઓ શું કરશે? જો એમ હોય તો ભાજપ યુવાનોને છેતરે છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, "અગ્નવીર' નામ એવા લોકોને આપવામાં આવી રહ્યું છે જેમને યોજના હેઠળ ભરતી કરવામાં આવશે અને તેઓ ભાજપ માટે મત લૂંટશે," તેમણે કહ્યું. સરકારે સશસ્ત્ર દળોમાં ભરતી માટે અગ્નિપથ યોજનાની જાહેરાત કરી હતી. આ અંતર્ગત સેનામાં સામેલ થનારાઓને અગ્નિવીર કહેવામાં આવશે.