બ્રેકિંગ ન્યુઝ
VTV / agneepath scheme agniveer exams conducted in three shifts for indian air force
Last Updated: 09:58 AM, 24 July 2022
ADVERTISEMENT
દેશભરમાં આજથી સેનામાં ભરતી માટે અગ્નિવીર રિક્રૂટમેંટ એક્ઝામ આયોજીત થઈ રહી છે. જે અંતર્ગત કાનપુરમાં જ 17 કેન્દ્રો પર આ પરીક્ષા થશે. પ્રાપ્ત વિગતો અનુસાર જોઈએ તો કમિશ્નરેટમાં કુલ 11 સેન્ટર અને કાનપુર બાહરીમાં 6 કેન્દ્રો બનાવામાં આવ્યા છે.
The online registration process conducted by #IAF towards #AgnipathRecruitmentScheme has been completed.
Compared to 6,31,528 applications in the past, which was the highest in any recruitment cycle, this time 7,49,899 applications have been received.#Agniveers pic.twitter.com/pSz6OPQF2V
ADVERTISEMENT
— Indian Air Force (@IAF_MCC) July 5, 2022
પ્રાપ્ત વિગતો અનુસાર જોઈએ કો,દરેક સેન્ટર પર 3 શિફ્ટમાં પરીક્ષા યોજાશે. દરેક શિફ્ટમાં 625 વિદ્યાર્થી હશે. આ પરીક્ષામાં કુલ 33 હજાર 150 પરીક્ષાર્થીઓ સામેલ થશે. પ્રથમ પાળીના સવારે 7.30 કલાકે, બીજી પાળી સવારે 11.30 કલાકે અને ત્રીજી પાળી બપોરે 3.15 કલાકે પરીક્ષા શરૂ થશે. આ પરીક્ષા ઓનલાઈન યોજાશે. આ પરીક્ષા કેટલાય તબક્કામાં 31 જૂલાઈ 2022 સુધી આયોજીત કરવામાં આવશે.
Aspiring #Agniveers on the path of #Agnipath.
Applications received - 3,03,328 and still counting...
Application window extended till 24 Jul 22 for SSR entry.
MR entry scheme window opens 25 Jul-30 Jul 22.
Hurry!!! Register online at
💻https://t.co/5hHlk1pGeg@indiannavy pic.twitter.com/XSm8NvwQBW
— IN (@IndiannavyMedia) July 23, 2022
આપને જણાવી દઈએ કે, યોગ્ય અરજીકર્તા ફેઝ-1 અને ફેઝ-2 ઓનલાઈન ટેસ્ટ બાદ ક્વાલિફાઈ થનારા ઉમેદવારોને ફિઝિકલ ફિટનેસ ટેસ્ટ (1.6ની દોડ સા઼ડા છ મિનિટમાં, 10 પુશઅપ, 10 સિટ અપ, 20 સ્કોટ્સ) અને મેડિકલ ટેસ્ટ માટે બોલાવામાં આવશે.
45 હજાર યુવાનોની દર વર્ષે થશે ભરતી
અગ્નિપથ યોજના અંતર્ગત આર્મી, નવી અને એરફોર્સમાં જવાનોની ભરતી થશે. તેમના રેંક હાલના રેંકથી અલગ હશે અને તે અગ્નિવીર કહેવાશે. આ યોજના અંતર્ગત દર વર્ષે લગભગ 40-45 હજાર યુવાનોને સેનામાં સામેલ કરવામાં આવશે. સેનામાં 40,000 અને એરફોર્સ તથા નેવીમાં 3000-3000 યુવાનોની ભરતી થશે.
આ યોજના વિરુદ્ધમાં કેટલાય રાજ્યોમાં વિરોધને જોતા સરકાર 2022માં ભરતી માટે વય મર્યાદા વધારીને 23 વર્ષ કરી દીધી છે.
અગ્નિપથ યોજના અંતર્ગત મળનારા ફાયદા
ચાર વર્ષની નોકરીમાં અગ્નિવીરોને પ્રથમ વર્ષે 30,000 રૂપિયા મહિનાની સેલરી મળશે. બીજા વર્ષે 33,000 રૂપિયા, ત્રીજા વર્ષે 36,500 રૂપિયા અને ચોથા વર્ષે 40,000 રૂપિયા માસિક વેતન મળશે. આ સેલરીમાં દર મહિને 30 ટકા અમાઉન્ટ કપાશે અને તેટલી જ રકમ સરકાર સામે જોડશે. જેને આપ રિટાયરમેન્ટ ફંડ કહી શકશો.
સેલરી ઉપરાંત રિસ્ક અને હાર્ડશિપ અલાઉંસ, રાશન અલાઉંસ, ડ્રેસ અને ટ્રાવેલ અલાઉંસ મળશે. સામાન્ય ભાષામાં કહીએ તો, ખાવા-પીવાનું, સારવાર, રહેવાનું બધું ફ્રીમાં આપવામાં આવશે. નોકરી દરમિયાન કુલ એક અગ્નિવીરને કુલ 11,72,160 રૂપિયા સેલરી મળશે. કુલ મળીને ચાર વર્ષની નોકરીનું વેતન અને રિટાયરમેંન્ટ તરીકે 23 લાખ 43 હજાર 160 રૂપિયા મળશે. આ રૂપિયા પર ઈન્કટમ ટેક્સ લાગશે નહીં.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.