બ્રેકિંગ ન્યુઝ
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી
VTV / ગુજરાત / Politics / અન્ય જિલ્લા / After the Gujarat Congress got a new president, the discussions about the in-charge of the Gujarat Congress became intense
Malay
Last Updated: 12:43 PM, 21 June 2023
લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાતમાં કોંગ્રેસ એક્શન મૉડમાં આવી ગઇ છે. ગુજરાત કોંગ્રેસમાં મોટા મોટા ફેરફાર થઈ રહ્યા છે. ગુજરાત કોંગ્રેસના પ્રમુખ પદની કમાન શક્તિસિંહ ગોહિલના હાથમાં સોંપવામાં આવ્યા બાદ ગુજરાત કોંગ્રેસના પ્રભારીને લઈને ચર્ચાઓ તેજ બની છે. ગુજરાત કોંગ્રેસના પ્રમુખની નિયુક્તિ બાદ હવે ગુજરાત કોંગ્રેસ પ્રભારીની નિયુક્તિનો મુદ્દો ગાજી રહ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું કે કોંગ્રેસ હાઈકમાન્ડ પ્રમુખ બાદ હવે ટૂંક સમયમાં નવા પ્રભારીની પણ સત્તાવાર જાહેરાત કરશે.
આ ત્રણ નામ છે ચર્ચામાં
કોંગ્રેસ હાઈકમાન્ડ ગુજરાતના પ્રભારી માટે 3 નામ પર વિચાર કરી રહ્યું છે. ગુજરાત કોંગ્રેસના પ્રભારી માટે બી.કે હરિપ્રસાદ, મોહન પ્રકાશ અને નીતિન રાઉતનું નામ ચર્ચામાં છે. બી.કે હરિપ્રસાદ અગાઉ ગુજરાતની જવાબદારી સંભાળી ચુક્યા છે. નીતિન રાઉતે 2022ની ચૂંટણીમાં કોંગ્રેસની હારના કારણનો રિપોર્ટ તૈયાર કર્યો હતો. હાઈકમાન્ડ દ્વારા આ ત્રણમાંથી કોઇ એકને ગુજરાતના પ્રભારી બનાવવામાં આવી શકે છે.
રાજીવ સાતવના નિધન બાદ રઘુ શર્માને બનાવાયા પ્રભારી
આપને જણાવી દઈએ કે, ગત ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની રેકોર્ડ બ્રેક જીત મેળવી હતી. જ્યારે આ ચૂંટણીમાં કોંગ્રેસનું પ્રદર્શન ઘણું ખરાબ રહ્યું હતું. જે બાદ ગુજરાત કોંગ્રેસના પ્રભારી રઘુ શર્માએ આ હારની જવાબદારી સ્વીકારીને રાજીનામુ આપી દીધું હતી. ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતા રાજીવ સાતવના નિધન પછી ગુજરાત પ્રભારીનું પદ ખાલી હતું.
ગત 8 ડિસેમ્બરે આપ્યું હતું રાજીનામું
જે બાદ કોંગ્રેસ હાઈકમાન્ડ દ્વારા લાંબા સમય બાદ ગુજરાતમાં રઘુ શર્માને પ્રભારી બનાવ્યા હતા. કોંગ્રેસે 7મી ઓક્ટોબરના 2021ના રોજ રઘુ શર્માને ગુજરાતના પ્રભારી તરીકે નિયુક્ત કર્યા હતા. જે બાદ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસની ખૂબ જ ઓછી સીટ આવતા પ્રભારી રઘુ શર્માએ હાર સ્વીકારીને 8 ડિસેમ્બર 2022ના રોજ રાજીનામુ આપ્યું હતું.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
લોકસભા ચૂંટણી 2024 / કોંગ્રેસના ઉમેદવારોને 15 કરોડ આપીને..' VTV સાથેની ખાસ વાતમાં જુઓ શું શું બોલ્યા શક્તિસિંહ
surat
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
આતંકી હુમલો / મણિપુરમાં મોડી રાત્રે કુકી આતંકવાદીઓએ CRPF બટાલિયન પર કર્યો હુમલો, બે જવાન શહીદ
Indian army