સુરત ખાતે રઘુવીર માર્કેટમાં લાગેલી ભીષણ આગ બાદ તંત્ર હરકતમાં આવી ગયું છે. મનપા દ્વારા સાંકડી ગલીઓવાળી માર્કેટ સામે લાલ આંખ કરી છે. જે માર્કેટમાં ટેન્કર જવાની વ્યવસ્થા નહીં હોય તો કડક કાર્યવાહી કરવામાં આવશે.
સુરતના રઘુવીર માર્કેટમાં આગ લાગવાનો મામલો
સાંકડી ગલીઓ વાળી માર્કેટમાં મનપાની લાલ આંખ
ફાયર ટેન્કર જવાની વ્યવસ્થા નહી કરાશે તો થશે કાર્યવાહી
સુરતના રઘુવીર માર્કેટમાં આગ લાગ્યા બાદ હવે તંત્ર હરકતમાં આવ્યું છે. સાંકડી ગલીઓમાં આવતી માર્કેટમાં ફાયર વિભાગે કાર્યવાહી હાથધરી છે. ફાયર ટેન્કર જવાની વ્યવસ્થા નહી હોય તે માર્કેટોને સીલ કરવાના આદેશ આપવામાં આવ્યા છે.
આાગમી દિવસોમાં માર્કેટ એસોસિએશન દ્વારા વ્યવસ્થા નહી કરવામાં આવે તો ફાયર વિભાગ દ્વારા માર્કેટ સીલ કરવામાં આવશે. સતત આગની ઘટનાઓને પગલે રિંગ રોડ પર ફાયર વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવે તેવી શક્યતા છે.
આજે તમામ માર્કેટના એસોસિએશનની સંયુક્ત બેઠક મળશે. ફાયર વિભાગ દ્વારા માર્કેટના વેપારીઓને 7થી 10 દિવસ સુધીનો સમય આપવામાં આવ્યો છે. ત્યાર બાદ ફાયર વિભાગ દ્વારા મેગા ડિમોલેશનની કામગીરી હાથ ધરાશે. માર્કેટ સીલ કર્યા બાદ ડિમોલેશનની કાર્યવાહી હાથધરાશે.