બ્રેકિંગ ન્યુઝ
VTV / બિઝનેસ / After retirement the government will give 18500 rupees every month so much investment will have to be done
Last Updated: 12:01 PM, 5 December 2022
ADVERTISEMENT
જો તમે નોકરી કરો છો તો નિવૃત્તિ પછી સરકાર તમને આ યોજના હેઠળ દર મહિને 18500 રૂપિયા પેન્શન તરીકે આપશે. નિવૃત્તિ પછી જીવન સ્ટેબલ ચાલે તે માટે પૈસાની જરૂર હોય છે. આવી સ્થિતિમાં સરકાર નાગરિકો માટે ઘણી પેન્શન યોજનાઓ અને રોકાણ યોજનાઓ ચલાવી રહી છે. જે 60 વર્ષ પછી લોકોને ચોક્કસ રકમનો લાભ આપે છે. જો તમે પણ ફ્યૂચરમાં પૈસાની અછતને દૂર કરવા માંગો છો તો તમે આવી જ એક સ્કીમમાં રોકાણ કરી શકો છો.
ADVERTISEMENT
દર મહિને મળશે 18,500ની રકમ
સરકારની આ યોજના હેઠળ નિવૃત્તિ પછી તમને દર મહિને 18,500 ની રકમ આપવામાં આવશે. આ યોજના સરકાર દ્વારા ચલાવવામાં આવે છે. તેના કારણે તેમાં કોઈ નુકસાન નથી અને તેમાં પતિ-પત્ની બંને પેન્શનનો લાભ લઈ શકે છે. આ સિવાય આ સ્કીમ હેઠળ 10 વર્ષ પછી આખી રકમ વ્યાજ સાથે પરત કરવામાં આવશે. વરિષ્ઠ નાગરિકો માટેની આ યોજના બીજી કોઈ નહીં પણ પ્રધાનમંત્રી વય વંદના યોજના છે.
માર્ચ 2023 સુધી રોકાણ કરી શકે છે
પ્રધાનમંત્રી વય વંદના યોજના 26 મે 2020 ના રોજ શરૂ કરવામાં આવી હતી. આમાં 31 માર્ચ 2023 સુધી રોકાણ કરી શકાય છે. આ સ્કીમ હેઠળ વધુમાં વધુ 15 લાખ રૂપિયાનું રોકાણ કરી શકાય છે. અગાઉ તે ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું, પરંતુ હવે તે ભારતીય જીવન વીમા નિગમ હેઠળ ચલાવવામાં આવે છે.
પતિ-પત્ની બંને લઈ શકે છે લાભ
જો દંપતી 60 વર્ષની ઉંમર વટાવી ચૂક્યા છે અને રોકાણ કરવા માગે છે તો તેઓ આ સ્કીમમાં અલગથી 15 લાખ રૂપિયા સુધીનું રોકાણ કરી શકે છે. આ અંતર્ગત બંને 30 લાખ રૂપિયા સુધીનું રોકાણ કરી શકે છે. આ યોજનામાં મહત્તમ 7.40 ટકા વ્યાજ આપવામાં આવી રહ્યું છે. આ યોજનામાં 60 વર્ષ કે તેથી વધુ વયના લોકો માસિક અથવા વાર્ષિક પેન્શન યોજનાનો વિકલ્પ પસંદ કરી શકે છે.
કેટલું રોકાણ કેટલી રકમ
જો પતિ-પત્ની અલગ-અલગ રોકાણ કરે તો કુલ રકમ 30 લાખ રૂપિયા થશે. આ યોજના હેઠળ 7.40 ટકા વ્યાજ આપવામાં આવશે. જેનો અર્થ છે કે વાર્ષિક વ્યાજ 222000 રૂપિયા અને જો 12 મહિનામાં વહેંચવામાં આવે તો આ રકમ 18500 રૂપિયા થશે. એટલે કે આ રકમ દર મહિને પેન્શન તરીકે આપવામાં આવશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
અમદાવાદ પ્લેન ક્રેશ / ક્રેશ થયેલા વિમાનમાં સવાર હતા પૂર્વ મુખ્યમંત્રી, લંડન જઈ રહ્યા હતા વિજય રૂપાણી
અમદાવાદ પ્લેન ક્રેશ / Plane Crash:2d સીટ પર બેઠા હતા વિજય રૂપાણી, જુઓ મુસાફરોની સંપૂર્ણ યાદી
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
અમદાવાદ પ્લેન ક્રેશ / ક્રેશ થયેલા વિમાનમાં સવાર હતા પૂર્વ મુખ્યમંત્રી, લંડન જઈ રહ્યા હતા વિજય રૂપાણી
અમદાવાદ પ્લેન ક્રેશ / Plane Crash:2d સીટ પર બેઠા હતા વિજય રૂપાણી, જુઓ મુસાફરોની સંપૂર્ણ યાદી
ahmedabad plane crash / અમદાવાદ વિમાન દુર્ઘટનાની 5 જૂને કરવામાં આવેલી ભવિષ્યવાણી સાચી પડી!
ADVERTISEMENT