દેશમાં અનેક જગ્યાએ સાંઈબાબાના મંદિરો અસ્તિત્વ ધરાવે છે. જ્યાં દર ગુરુવારે શ્રદ્ધાળુઓની લાંબી કતારો જોવા મળે છે. સાઈભક્તોમાં બાબાના ચમત્કારોની પણ હંમેશા ચર્ચા થતી જોવા મળે છે. પરંતુ છેલ્લાં થોડા વર્ષોથી સાંઈબાબા ચમત્કારો ઉપરાંત અન્ય કેટલી બાબતોના કારણે પણ ચર્ચામાં રહ્યા છે.
હવે સાંઈબાબાના જન્મસ્થળનો વિવાદ
ઉદ્ધવ ઠાકરે કહે છે `પાથર' છે જન્મભૂમિ
શિરડી સાંઈ ટ્રસ્ટ સંમત નથી
સાંઈબાબાની જાતિ અંગેનો વિવાદ પણ થોડા સમય પહેલા ચર્ચામાં આવ્યો હતો. એ મુદ્દો હજુ ઠંડો થયો નથી ત્યાં સાંઈબાબાના નામે નવો વિવાદ શરૂ થઈ ગયો છે. એ વિવાદ છે તેમના જન્મસ્થળ અંગેનો.
દર ગુરૂવારે સાંઇ મંદિરોમાં જામે છે શ્રદ્ધાળુઓની કતાર
શિરડી સાંઈબાબા જ્યાં સુધી સદેહે પૃથ્વી પર રહ્યા ત્યાં સુધી તેમણે માનવજાતિ માટે કલ્યાણકારી કામ કર્યા. તેમણે જાત-પાત, ઊંચ-નીચના ભેદભાવ વિના દરેકનું કલ્યાણ કર્યું. શિરડી તેમની કર્મભૂમિ રહી અને તેમણે શિરડીમાં જ દેહત્યાગ કર્યો. આજે દેશમાં અનેક સ્થળે ભક્તોએ સાંઈબાબાના મંદિર બનાવ્યા છે. દર ગુરુવારે સાંઈ મંદિરોમાં શ્રદ્ધાળુઓની લાંબી કતારો જોવા મળવી એ સમાન્યા વાત બની ગઈ છે.
શિરડી સાથે જોડાયો નવો વિવાદ
એટલું જ નહીં સાંઈબાબાના ચમત્કારોની ચર્ચાઓ પણ અવારનવાર થતી રહે છે. જો કે ઘણીવાર સાંઈબાબાની ચર્ચાઓ સાથે સાથે તેમની જાતિ વિશેની ચર્ચા પણ વિવાદ જગાવતી આવી છે. શિરડી સાંઈબાબાની જાતિ વિશેની ચર્ચાનું શમન થયું નથી ત્યાં હવે સાંઈબાબા સાથે જોડાયેલો એક નવો જ વિવાદ સર્જાયો છે.
આ વખતે શિરડી સાંઈબાબાના વિવાદ સાથે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેનું નામ જોડાઈ ગયું છે. અને વિવાદનો વિષય બન્યો છે સાંઈબાબાનું જન્મસ્થળ. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ પોતાના ભાષણ દરમિયાન સાંઈબાબાની જન્મભૂમિનું નામ `પાથરી' દર્શાવ્યું. એ પછી સાંઈબાબાના જન્મસ્થળનો વિવાદ વણસી ગયો છે. આપને જણાવી દઈએ કે, પાથરી શિરડીથી 275 કિલોમીટર દૂર છે.
પાથરી ગામને લઇ છેડાયો વિવાદ
`પાથરી' ગામ મહારાષ્ટ્રના પરભણી જિલામાં આવેલું છે.રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પણ પાથરી ગામ સાંઈબાબાની જન્મભૂમિ હોવાને સમર્થન આપી ચૂક્યા છે. મરાઠવાડા સ્થિત પાથરીના વિકાસ માટે સરકારે યોજના મૂકી છે. મહારાષ્ટ્ર સરકારે પાથરીના વિકાસ માટે 100 કરોડ રૂપિયાની ફાળવણીની જાહેરાત કરી દીધી છે. બસ એક મુખ્યમંત્રી દ્વારા પાથરીને સાંઈબાબાનુ જન્મસ્થળ પાથરી ગણાવી દેતાં સાંઈબાબાન નામે વિવાદનો નવો અધ્યાય શરૂ થઈ ગયો.
શિરડી મંદિર 19 જાન્યુઆરી સુધી બંધ રાખવાનો નિર્ણય
મુખ્યમંત્રીના એ નિવેદન બાદ જયાં એક તરફ ઓરંગાબાદમાં પાથર ગામના લોકોમાં ખુશી છવાઈ છે તો બીજી તરફ સાંઈબાબાની કર્મભૂમિ એવા અહમદનગર જિલ્લાના શિરડીના લોકોમાં રોષની લાગણી જોવા મળી રહી છે. શિરડી સાંઈ ટ્રસ્ટના કાર્યકર્તાઓમાં પણ રોષ અને નારાજગી પ્રસરી ગઈ છે. શિરડી સાંઈના જન્મસ્થળનો વિવાદ એટલો વધી ગયો છે કે, ઈતિહાસમાં પ્રથમવાર શિરડી સાઈ ટ્રસ્ટે શિરડી મંદિર 19 જાન્યુઆરી સુધી બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. રવિવારથી હોટલ, દુકાન અને આશ્રમ બંધ કરવામાં આવશે.. શિરડીથી જતા વાહનોને પણ રોકી દેવામાં આવશે. . ..મંદિર બંધ કરતાં પહેલા શનિવારે સભાનું પણ આયોજન કરવામાં આયોજન કરવામાં આવશે. .આથી શિરડી જતા અને આવતા શ્રદ્ધાળુઓને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે
કેમ વિવાદ બન્યો વધુ મજબૂત
આપને થતું હશે કે,પાથરી સ્થળને સાંઈબાબાનું જન્મસ્થળ ગણવાનો આટલો વિરોધ કેમ થઈ રહ્યો છે. તો આપને જણાવી દઈકે, અહમદનગર જિલ્લામાં આવેલા શિરડીના લોકોને એ વાતનો ડર છે કે, `પાથરી'નો વિકાસ થશે તો દર્શનાર્થીઓમાં શિરડીનું મહત્વ ઘટી જશે. શિરડી આવતા દર્શનાર્થીઓની સંખ્યા ઘટશે તો શિરડીના વિકાસ પર અસર થશે. બીજી વાત એ કે, `પાથરી' સાંઈબાબાની જન્મભૂમિ હોવાના કોઈ પ્રમાણભૂત પુરાવા નથી. સાંઈબાબાએ પોતાની જાતિ કે જન્મસ્થળ વિશે કોઈને કશું કહ્યું નથી.
શ્રદ્ધાળુઓની અસ્મીતાને પહોંચી ઠેસ
જો કે, શિરડીના નાગરિકો અને શિરડી સાઈ ટ્રસ્ટને `પાથરી'નો વિકાસ થાય અને મહારાષ્ટ્ર સરકાર ભંડોળ ફાળવે તેની સામે કોઈ વિરોધ નથી. પરંતુ કોઈ પ્રમાણભૂત પુરાવા વગર વિકાસ માટે `પાથરી'ને સાંઈબાબાની જન્મભૂમિ તરીકે ઓળખવામાં આવી છે તેનાથી શિરડી પ્રત્યેની શ્રદ્ધાળુઓની અસ્મીતાને ઠેસ પહોંચી છે..