સીપીસીબીએ કોરોના સાથ જોડાયેલા કચરનાના નિકાલને લઈને દિશા નિર્દેશ જાહેર કર્યા છે. જેમાં ઉપયોગમાં લેવાયેવા દસ્તાનાને કાપીને ઓછામાં ઓછા 72 કલાક કાગળની થેલીમાં રાખીને તેને ડસ્ટબીનમાં નાંખો. જો તમામ લોકો આ નહીં કરે તો કોરોનાના ફેલાવાનો અને તેના રિયુઝની સમસ્યા પણ વધી જશે.
બોટલોને બાયો વેસ્ટની સાથે રાખવામાં ન આવે
પીપીઈ કિટને અલગ કચરા પેટીમાં 3 દિવસ સુધી રાખવી જોઈએ.
પીળા રંગની થૈલીનો ઉપયોગ સામાન્ય કચરના ઉપયોગ માટે ન કરવો જોઈએ
સીપીસીબીએ વાણિજ્ય પ્રતિષ્ઠાનો અને કાર્યાલયોને પણ પીપીઈના નિકાલ માટે આ જ પ્રકારના નિર્દેશોનું પાલન કરવાના આદેશ આપ્યા છે. કહ્યુ છે કે વાણિજ્ય પ્રતિષ્ઠાનો જેમ કે શોપિંગ મોલ, સંસ્થાનો, કાર્યાલયો વગેરેમાં સામાન્ય માણસોની બેકાર પીપીઈ કિટને અલગ કચરા પેટીમાં 3 દિવસ સુધી રાખવી જોઈએ.
બોટલોને બાયો વેસ્ટની સાથે રાખવામાં ન આવે
સીપીસીબીએ કહ્યું કે સંક્રમિતો દ્વારા છોડવામાં આવેલા ભોજન અથવા પાણીની ખાલી બોટલોને બાયો મેડિકલ વેસ્ટની સાથે ન રાખો. પીળા રંગની થૈલીનો ઉપયોગ સામાન્ય કચરના ઉપયોગ માટે ન કરવો જોઈએ. કેમ કે આ કોરોના સાથે જોડાયેલા બાયો વેસ્ટના કચરા માટે છે. આ નિર્દેશ કોરોનાને ફેલાતો અટકાવવા તથા લોકોને કોરોનાના વેસ્ટથી ફેલાતા કોરોનાથી બચાવવાનો છે.