આજના દિવસે પાકિસ્તાનથી ગુજરાત આવેલ મહિલાએ પણ ભારતની નાગરિકતા મેળવીને પહેલી વખત મતદાન કર્યું હતું.
21 વર્ષ બાદ હેમાબેનને ભારતનું નાગરિત્વ મળ્યું
ભારતની નાગરિકતા મેળવીને પહેલી વખત મતદાન કર્યું
15 ઓગસ્ટ 1998માં પાકિસ્તાન છોડી ભારત આવ્યાં હતાં
આજે રાજ્યની 182 બેઠકોમાંથી સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતની 89 બેઠકો પર સવારે 8 વાગ્યાથી મતદાન શરૂ થઈ ગયું છે. રાજ્યના 19 જિલ્લાના 25 હજાર 430 મતદાન મથકો પર પ્રથમ તબક્કાનું મતદાન શરૂ થયું છે. પ્રથમ તબક્કામાં 2 કરોડ 39 લાખ 76 હજાર 670 મતદારો સાંજના 5 વાગ્યા સુધી પોતાના મત્તાધિકારનો ઉપયોગ કરશે. પ્રથમ તબક્કાની 89 બેઠકો પર કુલ 788 ઉમેદવારો મેદાનમાં છે. આ 788 ઉમેદવારોનું ભાવિ આજે EMVમાં કેદ થશે. \એવામાં આજના દિવસે પાકિસ્તાનથી ગુજરાત આવેલ મહિલાએ પણ ભારતની નાગરિકતા મેળવીને પહેલી વખત મતદાન કર્યું હતું.
15 ઓગસ્ટ 1998માં પાકિસ્તાન છોડી ભારત આવ્યાં હતાં
પાકિસ્તાનમાં જન્મેલી હેમાબેન જે હાલ જૂનાગઢમાં સ્થાયી છે એમને આજે પહેલી વખત મતદાન કર્યું હતું. જણાવી દઈએ કે હેમાબેન 10 વર્ષના હતા ત્યારે એમનો પરિવાર પાકિસ્તાન છોડીને ભારતમાં આવ્યા હતા. પહેલા એમના ભાઈ ભારતમાં આવીને સ્થાયી થયા હતા અને એ પછી હેમાબેન તેમના પરિવાર સાથે 15 ઓગસ્ટ 1998માં પાકિસ્તાન છોડી ભારત આવ્યાં હતાં. ભારતમાં જ હેમાબેન અને તેમનો પરિવાર સ્થાયી થયા અને સમય જતાં એમને જૂનાગઢના યુવક મનીષ આહુજા સાથે લગ્ન કર્યા હતા.
21 વર્ષ બાદ હેમાબેનને ભારતનું નાગરિત્વ મળ્યું
જણાવી દઈએ કે 21 વર્ષ બાદ હેમાબેનને ભારતનું નાગરિત્વ અને મતદાનનો અધિકાર મળ્યો હતો. મૂળ પાકિસ્તાનમાં જન્મેલાં હેમા આહુજા 2021માં ભારતના નાગરિક બન્યાં હતાં. હેમાબેને આ વિશે વાત કરતાં જણાવ્યું હતું કે 'પાકિસ્તાનના મીરપુર ખાસમાં તે તેમના પરિવાર સાથે રહેતા હતા અને ત્યાં પેટ્રોલ પંપનો વ્યવસાય કરતાં હતા. એ પછી પહેલા એમના એક ભાઈ ભારતમાં આવીને સ્થાયી થયા હતા અને એ પછી એમનો આખો પરિવાર ભારતમાં સ્થાયી થયા હતા.'
કાયદામાં સુધારો થયો એટલે ભારતની નાગરિકતા મળી
હેમાબેને આગળ જણાવ્યું હતું કે, '2014માં તેમણે જૂનાગઢમાં રહેતા મનીષ આહુજા સાથે લગ્ન કર્યા હતા અને 5 નવેમ્બર 2019ના ધનતેરસના દિવસે જૂનાગઢના કલેક્ટરના હાથે એમને ભારતનું નાગરિક અધિકાર પત્ર આપવામાં આવ્યું હતું અને તેમને ભારતનું નાગરિકત્વ મળ્યું હતું.' એમને જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર દ્વારા પાકિસ્તાનમાં રહેતા હિન્દુ ભારતીયોને નાગરિકત્વ આપવા માટે કાયદામાં સુધારો થયો અને તેને કારણે જ એમને ભારતની નાગરિકતા મળી હતી. સાથે એમને જણાવ્યું હતું કે આટલા વર્ષોમાં પહેલી વખત એમને મતદાન કરવાનો મોકો મળ્યો હતો અને એમને મત આપીને પોતાનો કર્તવ્ય નિભાવ્યો હતો.