ભારતીયોને કાઢવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે ત્યાં બીજી તરફ વિઝાને લઈને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. ભારતે પોતાના વિઝા નિયમોમાં મોટો બદલાવ કરી દેવામાં આવ્યો છે.
અફઘાનિસ્તાનમાં ફરીથી તાલિબાનનું રાજ
ભારતનાં ગૃહમંત્રાલયનો મોટો નિર્ણય, વિઝા નિયમોમાં કર્યા બદલાવ
Emergency X-Misc Visa કેટેગરી બનાવવામાં આવી
ભારતીયોને બચાવવામાં લાગ્યું ભારત
અફઘાનિસ્તાનમાં હવે તાલિબાન રાજ કરવા જઈ રહ્યું છે, વિશ્વમાં ખુદને મહાશક્તિ ગણાવતા અમેરિકાએ પણ હવે હાથ ઊંચા કરી દીધા છે ત્યારે અફઘાનિસ્તાનથી હજારોની સંખ્યામાં લોકો પલાયન કરી રહ્યા છે. પરિસ્થિતિ એવી છે કે લોકો વિમાનોમાં બસની જેમ લટકી રહ્યા છે ત્યારે ભારતના ગૃહમંત્રાલય દ્વારા આવા લોકોને વિઝા આપવા માટે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. એક તરફ જ્યાં ભારતનું મિશન ચાલી રહ્યું છે જેમાં એરફોર્સનાં વિમાન દ્વારા ભારતીયોને કાઢવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે ત્યાં બીજી તરફ વિઝાને લઈને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. ભારતે પોતાના વિઝા નિયમોમાં મોટો બદલાવ કરી દેવામાં આવ્યો છે.
ગૃહમંત્રાલયનો મોટો નિર્ણય
કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા અફઘાનિસ્તાનની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વિઝા નિયમોની સમીક્ષા કરવામાં આવી છે તથા મોટું એલાન કરવામાં આવ્યું છે. ઈલેક્ટ્રોનિક વિઝાની નવી શ્રેણી ‘e-Emergency X-Misc Visa’ શરૂ કરવામાં આવ્યા છે. જે લોકો ભારત આવવા માંગે છે જે તેમના માટે વિઝા આવેદનમાં તેજી લાવવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
MHA reviews visa provisions in view of the current situation in Afghanistan. A new category of electronic visa called “e-Emergency X-Misc Visa” introduced to fast-track visa applications for entry into India.@HMOIndia@PIB_India@DDNewslive@airnewsalerts
— Spokesperson, Ministry of Home Affairs (@PIBHomeAffairs) August 17, 2021
ભારત માટે સવારે રવાના થયું વિમાન
ભારતીય વાયુસેનાનું સ્પેશ્યલ વિમાન C-17 આજે સવારે થયું છે, વિમાનમાં આશરે 100 લોકો સવાર છે. નોંધનીય છે કે અમેરિકાનાં સૈનિકો દ્વારા કાબુલની એરપોર્ટ પર સુરક્ષા ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. અમેરિકાનાં સૈનિકોની સુરક્ષા વચ્ચે ભારતનું આ વિમાન રવાના થયું છે અને આજે સવારે જ અમેરિકા દ્વારા કાબુલ એરપોર્ટ ખોલવામાં આવ્યું છે.
ભારત એક બે દિવસમાં જ ઓપરેશન પાર પાડશે
નોંધનીય છે કે ભારતના આશરે પાંચ સોથી વધારે લોકો ફસાયેલા છે અને હવે ભારતે પોતાના લોકોને કાઢવા માટે મિશન મોડ પર કામ કરી રહ્યું છે. સૂત્રો અનુસાર આગામી એક બે દિવસમાં જ આ બધા લોકોને ત્યાંથી બહાર કાઢી લેવામાં આવશે. સોમવારે 46 લોકો કાબુલથી ભારત આવ્યા છે. નોંધનીય છે કે 300થી 400 ITBP જવાનો પણ અફઘાનિસ્તાનમાં છે.
તાલિબાનના કબ્જા બાદ અફઘાનિસ્તાનમાં ભયનો માહોલ છે. વિદ્રોહિયોએ સમગ્ર દેશમાં કોહરામ મચાવી દીધો છે. અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ અશરફ ગની દેશ છોડીને ભાગી ગયા છે. અમેરિકા પણ જલ્દીથી જલ્દી પોતાના અધિકારીઓ અને સૈનિકોને ત્યાંથી બહાર કાઢવા માંગે છે. તેવામાં ત્યાં ફસાયેલા ભારતીય નાગરિકોની સુરક્ષા ચિંતાનો વિષય બનેલો છે. અફઘાનિસ્તાનમાં અનેક ભારતીય જે ભારત પાછા ફરવા ઈચ્છે છે તે સુરક્ષિત વિસ્તારમાં છે અને તેમને એક બે દિવસમાં ભારત સુરક્ષિત લાવવામાં આવશે તેવું સૂત્રો દ્વારા કહેવામાં આવી રહ્યું છે.
ટોની બ્લિંકને એસ જયશંકર સાથે આ મુદ્દે વાત કરી
અમેરિકન વિદેશ મંત્રી ટોની બ્લિંકને સોમવારે પોતાના ભારતીય સમકક્ષ એસ જયશંકર સાથે અફઘાનિસ્તાનમાં હાલના ઘટનાક્રમ અંગે વાત કરી. ભારતના વિદેશ મંત્રી જયશંકરે ટ્વીટ કર્યુ. ટોની બ્લિંકન સાથે અફઘાનિસ્તાનમાં હાજર સ્થિતિ પર ચર્ચા કરી.’