અફઘાનિસ્તાનમાં તાલિબાનોની સત્તા આવ્યાં બાદ અફઘાનિસ્તાનમાં કલા અને સંસ્કૃતિ સાથે જોડાયેલા લોકોમાં સન્નાટો છવાઇ ગયો છે. અફઘાનિસ્તાનની લોકપ્રિય પોપસ્ટાર અર્યાના સઈદ એવા હજારો લોકોમાંથી છે, જે 15 ઓગષ્ટે કાબુલ એરપોર્ટમાંથી બહાર નિકળી વિદેશ જવા માંગતી હતી.
અફઘાનિસ્તાનમાં કલા અને સંસ્કૃતિ સાથે જોડાયેલા લોકોમાં છવાયો સન્નાટો
અફઘાનિસ્તાનની લોકપ્રિય પોપસ્ટાર અર્યાના સઈદે જણાવી આપવીતી
મને ગોળી મારી દેજો, પણ તાલિબાનોના હવાલે ના કરતા
મને ગોળી મારી દેજો, પણ તાલિબાનોને ના સોંપતા: અફઘાન પોપસ્ટાર
સઈદની જેમ લગભગ એક લાખ અફઘાનિસ્તાની લોકો જેમાં મ્યુઝિસિઅન્સ, પત્રકાર, મહિલા એથ્લીટ્સ પણ સામેલ છે. જેઓએ અફઘાનિસ્તાન છોડી દીધુ છે. સઈદ અત્યારે તુર્કીમાં છે. તેમણે એક ન્યૂઝ પોર્ટલ સાથેની વાતચીતમાં કહ્યું કે, મેં મારા મંગેતરને કહ્યું હતું કે જો તાલિબાનો મને ઘેરી લે તો મારા માથામાં ગોળી ધરબી દેજે. મેં આત્મઘાતી બોમ્બ ધડાકા જોયા છે અને આ સિવાય ઘણાં તોફાનો પણ જોયા છે. જેને જોઈને મારા રૂંવાડા ઉભા થઈ જાય છે. જ્યારે હું આ બધી બાબતો વિશે વિચારુ છું કે તાલિબાનોએ મને પકડી લીધી હોત તો મારી શું સ્થિતિ હોત? હું મ્યુઝીક બનાવુ છું. હું મહિલાઓને સપોર્ટ કરુ છું. હું તાલિબાનોની મુખ્ય ટાર્ગેટ બની હોત.
સઈદે પોતાના મંગેતરની સાથે અફઘાનિસ્તાન છોડી દીધુ
સઈદ પોતાના મંગેતરની સાથે અફઘાનિસ્તાન છોડી દીધુ છે. તેમણે કહ્યું કે, જ્યારે અફઘાનિસ્તાન પર તાલિબાનોની સત્તા હતી ત્યારે કોઈ મ્યુઝીક વગાડતુ નહોતુ. મ્યૂઝીક કોઈ દેશની સંસ્કૃતિ, ઓળખ અને લોકો વિશે જણાવે છે અને મારા હિસાબે સંગીત વગર કોઈ પણ દેશ ફક્ત જમીનનો એક ટુકડો હોય છે.