વડોદરા કોર્ટમાં ગઇકાલે થયેલી તોડફોડ અને લાઠીચાર્જ બાદ વકીલો અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતરી ગયા છે. આજે બીજા દિવસે પણ વકીલો કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહ્યા છે. જ્યાં સુધી બેઠક વ્યવસ્થાનો પ્રશ્ન હલ ન થાય અને કોર્ટ સંકુલમાંથી પોલીસ હટાવવામાં ન આવે ત્યાં સુધી અચોક્સ મુદતની હડતાલનો ઠરાવ વકીલ મંડળે કર્યો છે.
130 કરોડના ખર્ચે એશિયાની સૌથી મોટી જિલ્લા અદાલતનું 2 દિવસ પહેલા જ રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઉદ્ઘાટન કર્યુ હતુ અને આજથી આ સંકુલમાં તમામ અદાલત કાર્યરત થવાની હતી
જોકે વકીલોની બેઠકમાં વ્યવસ્થાનો પ્રશ્ન હલ ન થતા વકીલોએ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ સમક્ષ રજૂઆત કરવા માટે જતાં મામલો બગડ્યો હતો અને જજની ચેમ્બરમાં જ વકીલોએ તોડફોડ કરી હતી. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસે બળપ્રયોગ કરતાં કેટલાક વકીલોને ઈજા પહોંચી હતી.
આખરે વકીલ મંડળે જ્યાં સુધી બેઠક વ્યવસ્થાનો પ્રશ્ન હલ ન થાય ત્યાં સુધી અચોક્કસ મુદતની હડતાળની જાહેરાત કરી હતી.