આદિવાસી સમાજ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે છોટા ઉદેપુરમાં લોકોએ વધારે પડતા ઉત્સાહમાં આવી જઈને લોકોને નુકસાન થાય તેવું કરી બેઠા હતા. હજારોના વિરોધ સામે લાખો મુસાફરોને પરેશાન થવું પડ્યુ હતુ.
ડાંગ જિલ્લાના ધારાસભ્યનું નિવેદન
મંગળ ગાવિતે આપ્યું વિવાદિત નિવેદન
આદિવાસીને તીર-કામઠું લઇને લડવા ઉશ્કેર્યાં
આદિવાસી જાતિના નકલી પ્રમાણપત્રને લઇને આદીવાસ સમાજનો વિરોધ શમ્યો નથી. આ વિરોધની વચ્ચે આદિવાસી સમાજના ધારાસભ્ય મંગળ ગાવિતે વિવાદિત નિવેદન કરીને વિરોધમાં વિવાદના બીજ રોપ્યા છે. તેમણે જણાવ્યું હતું કે. ગાંધીનગર સત્યાગ્રહ છાવણીમાં વિરોધ કરી રહેલા આદિવાસી સમાજેના સંબોધતા તીર કામઠા લઇને સરકારની નિતી સામે લડવા જણાવ્યું હતું. નોંધનિય છે કે, ચારણ ભરવાડને આદિવાસી જાતિના પ્રમાણપત્ર આપતાં આદિવાસી સમાજ તેનો વિરોધ કરી રહ્યો છે. આ પ્રમાણપત્ર રદ્દ કરવા માટે માંગણી થઇ રહી છે.
છોટાઉદેપુરમાં 6 જિલ્લામાં બંધનું એલાન
છોટાઉદેપુરમાં રાઠવા સમાજ દ્વારા બંધનું એલાન આપવામાં આવ્યુ છે. ત્યારે હવે રાઠવા સમાજના આગેવાનો દ્વારા વડોદરા જતી ટ્રેનને રોકવામાં આવી છે. બંધને પગલે બોડેલી રેલવે સ્ટેશન પર ટ્રેનને રોકવામાં આવી છે. રેવન્યુ રેકોર્ડમાં કોળી શબ્દને હટાવીને રાઠવા શબ્દ બનાવવાની માગ કરાઈ છે. આજે જિલ્લાના 6 તાલુકામાં તમામ વેપારીઓ દ્વારા બંધ પાળીને વિરોધ પણ કરાયો છે
ભાજપ હાય-હાય'ના નારા લગાવ્યા
સુરતના માંડવીમાં જાતિના પ્રમાણપત્રને લઈને આદિવાસી સમાજના આગેવાનોએ વિરોધ નોંધાવ્યો છે.. આ દરમિયાન મોટી સંખ્યામાં આદિવાસીઓ રસ્તા પર ઉતર્યા હતા. વિરોધ કરનાર લોકોએ `ભાજપ હાય-હાય'ના નારા લગાવ્યા હતા. સાથે જ તેમણે બોગસ આદિવાસી પ્રમાણપત્રો રદ કરવાની માગ કરી છે.