મેગ્લુરુ, લખનઉ અને અમદાવાદ પછી હવે મુંબઈ એરપોર્ટની કમાન પણ ઉદ્યોગપતિ ગૌતમ અદાણીની કંપની અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સ લિમિટેડના હાથમાં આવી છે.
અદાણી ગ્રુપે મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડમાં 23.5 ટકા ભાગીદારી ખરીદી
જુલાઈ 2021 સુધી કંપની જયપુર, ગુવહાટી, તિરુવનંતપુરમ એરપોર્ટ પણ ખરીદી લેશે
અદાણી ગ્રુપ એરપોર્ટની સંખ્યા મામલે દેશમાં સૌથી મોટું એરપોર્ટ ઓપરેટર બની રહ્યું છે
અદાણી ગ્રુપે મુંબઈમાં ઈન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડમાં 23.5 ટકા ભાગીદારી ખરીદી
કંપનીએ મુંબઈમાં ઈન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડમાં 23.5 ટકા ભાગીદારી ખરીદી છે. ગૌતમ અદાણીની કંપનીએ 1,685.25 કરોડ રુપિયામાં બે વિદેશી કંપનીઓ ACSA ગ્લોબલ લિમિટેડ અને બિડ સર્વિસિસ ડિવિઝન લિમિટેડ પાસેથી હિસ્સેદારી ખરીદી છે.
અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સ પ્રમોટર કંપની જીવીકે ગ્રુપની 50.5 ટકા ભાગીદારી પણ ખરીદી રહી છે. આ રીતે મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટમાં અદાણીની કંપનીની હિસ્સેદારી 74 ટકા થઈ જશે. તેની સાથે કંપનીએ નવી મુંબઈમાં એરપોર્ટ વિકસીત કરવાનો અધિકાર પણ મળી જશે. ગત વર્ષના ઓગસ્ટમાં અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સ લિમિટેડે જીવીકે એરપોર્ટ ડેવલપર્સ લિમિટેડનું દેવું ખરીદવાનો કરાર કર્યો હતો. GVKADL એક હોલ્ડિંગ કંપની છે. તેના દ્વારા જીવીકે ગ્રપની એમઆઈએએલમાં 50.50 ટકા ભાગીદારી છે.
અદાણીના હાથમાં કુલ કેટલા એરપોર્ટ
અદાણી એન્ટરપ્રાઈસે શેર બજારને આપેલી માહિતીમાં જણાવ્યું છે કે AAHL એ MIAL ના 10 રુપિયાના ભાવના 28.20 કરોડ શેર ખરીદ્યાં છે. AAHL અદાણી એન્ટરપ્રઈસની પૂર્ણ માલિકીની કંપની છે. GVK એરપોર્ટ ડેવલપર્સ લિમિટેડની સાથે સોદો પૂરો થયા બાદ MIAL માં અદાણી ગ્રુપની ભાગીદારી 74 ટકા થઈ જશે. MIAL ની બાકીની 26 ટકા ભાગીદારી એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડીયાની છે.
અદાણી ગ્રુપે ગત વર્ષના અંતે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડીયા પાસેથી મેગ્લુરુ, લખનઉ અને અમદાવાદ એરપોર્ટનો કબજો સંભાળ્યો હતો. અદાણી ગ્રુપ 50 વર્ષ સુધી મેગ્લુરુ, લખનઉ અને અમદાવાદ, જયપુર, ગુવહાટી અને તિરુવનંતપુરમનો વિકાસ, પ્રબંધન અને સંચાલન કરશે.