બોલીવુડમાં ઘણા એવા ચહેરા છે જેમનો જન્મ દિવસ તમને પણ યાદ હશે, પણ આજે બોલીવુડ જગતના એક એવા ચહેરાનો જન્મ દિવસ છે, જેનુ નામ પણ નવી પેઢી નહીં જાણતી હોય. આજે અમે તમને એક એવા ચહેરા વિશે જણાવીશુ જેણે પોતાની 10 વર્ષની ઉમરે પરિવારની જવાબદારીઓ લઇને ઝંપલાવ્યું અને એવુ કરી બતાવ્યું કે, તેમનું જીવન ઘણુ શિખવી જાય.
ભારતીય સિનેમાં કાનન દેવી એક એવું નામ છે. જેમણે પોતાન અભિનયથી ઘણી સફળતા મેળવી છે. કાનન દેવીનો જન્મ પશ્ચિમ બંગાલના હાવડામાં આજના દિવસે એટલે કે, 22 એપ્રિલ 1916માં એક મધ્યવર્ગના પરિવારમાં થયો હતો. કાનન દેવીનું ભારતીય સિનેમાંમાં મોટું નામ છે. જેમણે માત્ર અભિનયથી નહીં પણ પોતાના અવાજથી પણ ઘણી નામના મેળવી છે.
કાનન દેવીના પરિવાર વિશે જો જણાવવામાં આવે તો, કાનની 10 વર્ષની ઉમરમાં તેના પિતા રમેશચંદ્રદાસનું મૃત્યું થયું હતુ. પરિવારની આર્થિક તંગીના કારણે કાનન દેવીએ પોતાની 10 વર્ષની ઉંમરમાં જ પરિવારની જવાબદારીઓ સંભાળી લીધી હતી. પારિવાહિક મિત્રની મદદથી કાનન દેવીને 'જ્યોતિ સ્ટૂડિયો'ની ફિલ્મ 'જયદેવ'માં કામ મળ્યું, ત્યારબાદ જ્યોતિસ બેનર્જીના નિર્દેશનમાં રાધા ફિલ્મસના બેનર હેઠળ ઘણી ફિલ્મોમાં કાનન દેવીએ બાળ કલાકાર તરીકે ભૂમિકા નિભાવી.
જે દરમિયાન કાનન દેવીની મુલાકાત રાયચંદ બોરાલ જોડે થઇ, જેમણે કાનન દેવીને હિન્દી ફિલ્મોમાં કામ કરવાનો પસ્તાવ રાખ્યો. ત્યારબાદ કાનન દેવીઓ સંગીત શિક્ષા લેવાનું પણ ચાલુ કર્યું. વર્ષ 1937માં ફિલ્મ મુક્તિ સુપરહિટ ગઇ. પી.સી બરૂઆના ડાયરેક્શન હેઠળ બનેલી આ ફિલ્મએ કાનન દેવીને ન્યું થિયેટરની ટોપ અભિનેત્રીમાં શામેલ કર્યા.
1941મા કાનન દેવીએ ન્યું થિયેટર છોડી દીધું અને સ્વતંત્ર રીતે કામ ચાલું કર્યું. 1942માં આવેલી ફિલ્મ 'જવાબ' કાનન દેવી માટે ખુબ જ ફાયદા કારક રહી. આ ઉપરાંત 1948માં આવેલી 'ચંદ્રશેખર' પણ કાનન દેવી માટે ઘણી ફાયદા કારક રહી.
ઘણી પરિસ્થિઓ સામે ટક્કર લઇ કાનન દેવીએ ફિલ્મી દુનિયા ઘણુ નામ કમાયું, જ્યારે 17 જૂલાઇ 1992માં કાનન દેવીએ દુનિયાને અલવીદા કહી દીધુ. કાનન દેવીનું યોગદાન જોઇ 1976માં દાદા સાહેબ ફાલ્કે પુરસ્કારથી સમ્માનીત કરવામાં આવ્યા હતા. 1968માં સરકારે તેમને પહ્દ્મશ્રી'થી પણ સમ્માનીત કર્યા હતા.