બૉલીવુડ અભિનેતા સોનૂ સૂદે ફરી એકવાર મિસાલ રજૂ કરી છે. ઉત્તરાખંડના ચમોલીમાં સર્જાયેલી હોનારતમાં મૃત્યુ પામેલા યુવકના પરિવારની 4 બાળકીઓને દત્તક લીધી છે.
મૃતકના પરિવારની ચાર બાળકીઓને લીધી દત્તક
સોનૂ સૂદ એક પરિવાર માટે દેવદૂત બનીને આવ્યો
ઉત્તરાખંડના ચમોલીમાં હોનારત સર્જાઇ હતી
ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં આવેલ હોનારતમાં અનેક લોકો બેઘર અને નિરાધાર થઇ ગયા છે. તો કેટલાક શ્રમિકોએ પોતાનો જીવ ગુમાવવો પડ્યો. એટલું જ નહીં, સરકારી આંકડાઓ અનુસાર હોનારતમાં 204 લોકો લાપતા થઇ ગયા હતા. સેના, NDRF, SDRF, ITBP, BRO સહિતના જવાન લાપતા લોકોની શોધખોળમાં દિવસ રાત એક કરી રહ્યા છે. પરંતુ, ચિંતાની વાત એ છે કે હોનારતના 12 દિવસ બાદ પણ 174 શ્રમિકોની કોઇ ભાળ મળી નથી.
તેવામાં બૉલીવુડ અભિનેતા સોનૂ સૂદે ફરી એકવાર મિસાલ રજૂ કરી છે. કોરોનાકાળમાં દેશભરમાં ફંસાયેલા લોકોને તેમના ઘરો સુધી પહોંચાડવાની મદદથી કેટલાક લોકો કાયલ થઇ ગયા હતા. સમાજ સેવામાં હંમેશા આગળ રહેનારા સૂદે હોનારતમાં એક પીડિત પરિવારના બાળકોને દત્તક લેવાનો નિર્ણય લીધો છે.
મૃતકના પરિવારની ચાર બાળકીઓને લીધી દત્તક
ટિહરી જિલ્લાની દોગી પટ્ટીમાં રહેતા એક પરિવારની મદદ માટે સોનૂ સૂદે હાથ લંબાવ્યો છે. આ પરિવારની ચાર બાળકીઓને તેમણે દત્તક લીધી છે. હોનારતમાં આ બાળકીઓના પિતાનું મોત થઇ ગયું હતું.
આ પરિવાર હવે અમારો છે ભાઇઃ સોનૂ સૂદ
સોનૂ સૂદે એક ટ્વિટ કર્યું છે. જેમાં તેમણે લખ્યું કે, 'આ પરિવાર હવે અમારો છે ભાઈ.' એક ન્યૂઝ ચેનલના સીઇઓએ એક ટ્વિટ કર્યું હતું કે, મારૂ નિવેદન છે મારા મિત્ર, મારા ભાઇ સોનૂ સૂદે ઉત્તરાખંડની હોનારતમાં મૃત્યુપામેલા સ્વર્ગીય આલમ પુણ્ડીરની અનાથ 4 દીકરીઓને પાંચ વર્ષ સુધી ભણાવવાની તમામ જવાબદારૂ ઉઠાવી છે. આભાર મારા ભાઈ.
8 દિવસ બાદ કાટમાળમાં દબાયેલો આલમ સિંહનો મૃતદેહ મળ્યો હતો
જણાવી દઇએ કે આલમ સિંહ(45 વર્ષ) વિષ્ણુગાડ જળ વિદ્યુત પરિયોજનાથી જોડાયેલ ઋત્વિક કંપનીમાં ઇલેક્ટ્રીશયનના પદ પર કાર્યરત હતા. હોનારતમાં આલમ પરિયોજનાની ટનલમાં કામ કરતા હતા, પરંતુ ત્યારબાદ પરત ફર્યા નહીં. 8 દિવસ બાદ કાટમાળમાં દબાયેલો તેમનો મૃતદેહ મળ્યો તો પરિવાર પર દુઃખનો પહાડ ટૂટી પડ્યો. ઘરના એકમાત્ર કમાનારા સભ્યના મોતથી તેમના પત્નીના ખભા પર પોતાની ચાર માસૂમ બાળકીઓ આંચલ, અંતરા, કાજલ અને બે વર્ષની અનન્યાની જવાબદારી આવી ગઇ. આ વચ્ચે સોનૂ સૂદ દેવદૂત બનીને સામે આવ્યો અને તેમણે પહેલ કરી છે. સોનૂ સૂદે આલમ સિંહના ચારેય બાળકોને લત્તક લઇને તેમના અભ્યાસનો ખર્ચ ઉઠાવવાનો ભરોસો આપ્યો છે.
લાપતા લોકોની શોધખોળ શરૂ
રાજ્ય આપાતકાલીન પરિચાલન કેન્દ્રના અનુસાર, કુદરતી હોનારતમાં લાપતા કુલ 204 લોકોમાંથી અત્યાર સુધીમાં 61 લોકોના મૃતદેહ અલગ અલગ જગ્યાઓ પરથી મળી આવ્યા છે. જેમાંથી 34ની ઓળખ થઇ ચૂકી છે. 27 મૃતદેહોની ઓળખ નથી થઇ શકી. હાલ 143 લોકો લાપતા છે. લાપતા તમામ લોકોના સંબંધમાં કોતવાલી જોશીમઠમાં અત્યાર સુધીમાં કુલ 179 લોકોની નોંધણી થઇ ચૂકી છે. તપોવનમાં વિષ્ણુગાડ હાઈડ્રો પ્રોજેક્ટની મુખ્ય ટનલ અને ઋષિગંગાની આસપાસ રેસ્ક્યૂ ચાલુ છે.