વિધાનસભાની ચૂંટણીને લઈ ભાજપની રણનિતી તૈયાર, આદિવાસી વિસ્તારોમાં ભાજપ ધ્યાન કેન્દ્રિત કરવાનો તખતો, કેન્દ્રના નેતાઓ સતત ગુજરાત પ્રવાસ વધશે
ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપની રણનીતિ
વિવિધ સમાજના લોકપ્રિય નેતાઓને ભાજપમાં જોડવામાં આવશે
PM અને અમિત શાહ દિલ્લીથી ગુજરાત સુધી સંબોધશે સભા
ગુજરાતના રાજકારણની વાત કરીએ તો છેલ્લી એક આખી પેઢી એવી આવી છે જેણે માત્ર તેમના જીવન દરમિયાન માત્ર એક જ પક્ષનું શાસન ગુજરાતમાં જોયું છે. કારણકે 25 થી પણ વધુનો સમય પસાર થઇ ગયો જેમાં ગુજરાતમાં ભાજપનું એેકહથ્થુ શાસન છે. ગુજરાતમાં ઘણાં વર્ષોથી દેશની સૌથી જુની પાર્ટી કોંગ્રેસની કાઈ કાઠું કાઢી શકી નથી. કોંગ્રેસે પ્રયાસો કર્યા હશે પણ જનતાની વચ્ચે વિશ્વસનીયતા પ્રસ્થાપિત કરવામાં સફળતા હાથ લાગતી નથી. વાત વિધાનસભાની હોય, લોકસભાની હોય, નગરપાલિકાઓની કે તાલુકા જિલ્લા પંચાયતોમાં ભાજપે જીતનો સપાટો બોલાવ્યો છે અને કોંગ્રેસને મોટેભાગે કારમી હાર પ્રાપ્ત થઇ છે. છેલ્લી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં એટલે કે 2017માં કોંગ્રેસે ફાઇટ ભાજપને જોરદાર ટક્કર આપી હતી. જેના પરિણામોને બે આંકડામાં લાવી દીધા હતા. પણ આ વખત ગુજરાતમાં AAPની એન્ટ્રીથી ત્રિપાંખિયો જંગ નક્કી છે.
વિવિધ સમાજના આગેવાનોને ભાજપમાં જોડાવામાં આવશે
ત્યારે હંમેશા પોતાની સટીક રણનીતિ અને રાજનીતિને માહિર રીતે પાયામાં ઉતારતા ગુજરાત ભાજપે આવનારી ચૂંટણીને લઈ એક્શન પ્લાન તૈયાર કર્યો છે. આદિવાસી વિસ્તારોમાં ધ્યાન કેન્દ્રિત કરવાનો તખ્તો તૈયાર કરવામાં આવ્યો છે. આ સાથે જ વિવિધ સમાજના લોકપ્રિય નેતાઓને ભાજપમાં જોડવામાં આવશે.
કેન્દ્રિય નેતાઓનું ગુજરાત પર ફોકસ
આ માટે કેન્દ્રિય નેતાઓ સતત ગુજરાત પ્રવાસ ખેડશે. ખાસ કરીને PM અને અમિત શાહ દિલ્લીથી ગુજરાત સુધી સતત સભાઓ ગજવશે. રાજ્યમાં અનેક રેલીઓ, રોડશો અને કાર્યક્રમો ગોઠવાશે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા પણ ગુજરાતની મુલાકાતે આવશે. ભાજપ રાષ્ટ્રીય મહાસચિવ બી.એલ સંતોષ પણ ચૂંટણીની વ્યુરચના સંદર્ભે જીણવટ ભર્યા મુદ્દાઓ પર ઊંડાણપૂર્વક ચર્ચા કરશે.
શહેરી વિસ્તારમાં ભાજપને ડર
ગુજરાતની રાજનીતિમાં હાલમાં ભાજપનું પલડું ભારે છે અને ભાજપે એવું દર્શાવી રહી છે કે આગામી ચુંટણીમાં જીત આશાન છે. હકીકતમાં આ વખતે ભાજપને શહેરી વિસ્તારમાં હારનો ડર વધારે છે અને એટલે જ અન્ય રાજ્યોમાં જેમાં પ્રચાર કરવામાં આવે છે. એ રીતે આ વખતે ગુજરતમાં પણ પ્રચાર કરવામાં આવશે. ભાજપે પ્રચાર માટે 4 ઝોનમાં વહેચીને પ્રચાર કરવા માટે આયોજન કરેલું છે. જેમાં મધ્ય ઝોનની જવાબદારી મધ્યપ્રદેશ અને ઝારખંડના નેતાઓને સોપી છે. તો દક્ષીણ ગુજરાતની જવાબદારી મહારાષ્ટ્રને સોપવામાં આવી છે. ઉત્તર ઝોનની જવાબદારી રાજસ્થાન અને સૌરાષ્ટ્ર-કચ્છની જવાબદારી બિહારના નેતાઓને સોપવામાં આવી છે.
કોઈ કચાશ છોડવા માંગતુ નથી ભાજપ
આમ તો ગુજરાતમાં ચુંટણી સમયે અન્ય પ્રદેશના નેતાઓ પ્રચાર,સભા કે રોડ શો માટે આવતા હોય છે..પરંતુ આ વખતે કાર્યકર્તાઓની મોટી ફોજ ગુજરાત આવશે અને ઘરે ઘરે જઈને પ્રચાર કરશે મહોલ્લા મીટીંગ કરશે. આ રીતેનો પ્રચાર સામાન્ય રીતે અન્ય રાજ્યોમાં થતો હોય છે. પરંતુ ગુજરાતમાં થતો નથી. પરંતુ આ વખતે આ પેટર્ન પર પ્રચાર કરવામાં આવશે. કારણ કે ભાજપને ડર છે કે નાના સમાજના લોકો ભાજપથી અંતર રાખે છે અને તેના કારણે નુકશાન થઇ શકે છે.. જેથી હાઈ કમાંડ કોઇપણ પ્રકારે રિસ્ક લેવાં માંગતું નથી.
આમ ભાજપ દ્વારા હવે ચુંટણીના 4 કે 5 માસ અગાઉ જ આ પ્રકારના પ્રચારનું આયોજન કરેલું છે. જેથી કરી કોઇપણ મહોલ્લો પ્રચારમાં બાકાત ના રહી જાય અને ભાજપને આસાનીથી જીત મળી શકે કારણ કે ભાજપને શહેરી સીટ તૂટવાનો ડર છે અને એટલે જ જોરશોરથી પ્રચાર કરશે.તે ઉપરાંત નાના થી માંડી મોટા સમાજના આગેવાનૉ વધુમાં વધુ ભાજપની વિચારધારામાં જોડાય તેને લઈને પણ આયોજન કરવામાં આવ્યું છે.