ગરુડ પુરાણ અનુસાર દરરોજ સવારે આ કામ કરવાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ થાય છે અને દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે.
દરરોજ સવારે આ કામ કરી દેવી લક્ષ્મીને પ્રસન્ન કરો
ઘરના રોગો અને દોષ દૂર થાય છે અને સુખ-સમૃદ્ધિ આવે
વ્યક્તિએ નિયમિત રીતે કુળ દેવી-દેવતાની પૂજા કરવી જોઈએ
દરેક વ્યક્તિને પૈસા મેળવવાની ઈચ્છા હોય છે પણ માત્ર તે જ વ્યક્તિ ધન અને સુખ-સમૃદ્ધિથી ભરપૂર રહે છે જેના પર ધનની દેવી લક્ષ્મીની કૃપા રહે છે. કહેવાય છે કે જે ઘરમાં દેવી લક્ષ્મીનો વાસ હોય છે ત્યાં ક્યારેય પૈસાની કમી નથી હોતી. ગરુડ પુરાણમાં આવા જ કેટલાક કામો જણાવવામાં આવ્યા છે, જેનો જીવનમાં સકારાત્મક પ્રભાવ પડે છે. ગરુડ પુરાણ અનુસાર દરરોજ સવારે આ કામ કરવાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ થાય છે અને દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે. તેનાથી ઘરના રોગો અને દોષ દૂર થાય છે અને સુખ-સમૃદ્ધિ આવે છે.
નિયમિત કરો આ કાર્ય
કુળ દેવી-દેવતાની પૂજા કરો-
જે ઘરમાં દરરોજ સવારે પૂજા કરવામાં આવે છે, ત્યાં ક્યારેય કોઈ સમસ્યાનો સામનો કરવો પડતો નથી. ગરુડ પુરાણમાં કહેવામાં આવ્યું છે કે દરેક વ્યક્તિએ નિયમિત રીતે કુળ દેવી-દેવતાની પૂજા કરવી જોઈએ. જેના કારણે ઘરમાં સુખ-સમૃદ્ધિ રહે છે અને આર્થિક સમસ્યાઓ દૂર થાય છે.
સ્નાન કર્યા પછી ભોજન બનાવો -
ગરુડ પુરાણ અનુસાર હિંદુ ધર્મમાં રસોડાને ખૂબ જ પવિત્ર સ્થાન માનવામાં આવે છે. એટલા માટે સવારે સ્નાન કર્યા પછી જ રસોડામાં પ્રવેશ કરો અને ભોજન તૈયાર કરો. આ સાથે રસોઈ બનાવતા પહેલા રસોડાની પૂજા કરો અને જે પણ ભોજન રાંધવામાં આવે છે તેનો ભોગ ચઢાવો. તેનાથી તમારા ઘરમાં દેવી લક્ષ્મીની કૃપા હંમેશા બની રહે છે.
નિયમિત કરો પૂજા -
ગરુડ પુરાણ અનુસાર ઘરના મંદિરમાં સ્થિત દેવી-દેવતાઓની નિયમિત પૂજા કરવી જોઈએ. રવિવાર સિવાય તુલસીને જળ અર્પણ કરવું જોઈએ અને ધાર્મિક ગ્રંથોનો પાઠ કરવો જોઈએ. તેનાથી જીવનમાં સકારાત્મકતા આવે છે.
ગાય અને કૂતરાને રોટલી ખવડાવો -
ગરુડ પુરાણમાં કહેવામાં આવ્યું છે કે જ્યારે તમે ઘર માટે રોટલી બનાવો છો ત્યારે પહેલી રોટલી ગાયને ખવડાવો અને છેલ્લી રોટલી કૂતરાને ખવડાવો. જેના કારણે મા લક્ષ્મીની સાથે સાથે શનિદેવની કૃપા પણ ઘરમાં બની રહે છે.