ઝારખંડના ધનબાદમાં કોલસા ખનન દરમિયાન મોટી દુર્ઘટના થઈ છે. મંગળવારે નિરસાના મુગમા એરિયામાં 20 ફૂટ ઉપરની ઉંચાઈથી પડવાના કારણે 13 લોકોના મોત થઈ ગયા છે. જ્યારે ડઝનબંધ લોકો તેમાં દબાયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ઘટના સ્થળે હાલ રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે.
જો કે, તાત્કાલિક ધોરણે અમુક લોકોને બહાર કાઢવામાં આવ્યા છે. જ્યારે અમુક લોકોને ઘાયલ અવસ્થામાં ત્યાંની ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. કહેવાય છે કે, દરરોજની માફક આજે પણ મોટી સંખ્યામાં પુરૂષો સહિત કેટલીય મહિલાઓ અને બાળકો ગેરકાયદેસર રીતે આઉટસોર્સિંગ પર આવ્યા હતા. ત્યાં ઈસીએલ તરફથી ટ્રેંચ કટિંગ કરવામાં આવ્યું હતું.
બરાબર આ જ સમયે 20 ફૂટ ઉપરથી નીચે પડ્યા હતા. જેમાં ઢગલાબંધ લોકો દટાઈ ગયા હતા. ઘટનાની જાણકારી મળ્યા બાદ ધનબાદ નિરસા પોલીસે ઘટનાસ્થળે પહોંચીને જાણકારી મેળવી હતી. ત્યાર બાદ કોલસામાં દબાયેલા લોકોને બહાર કાઢવા માટે જેસીબી મશીનથી ખોદકામ કરવામાં આવ્યું હતું.
આ બાજૂ સ્થાનિક લોકએ આ ઘટના અંગેની જાણકારી મળતા લોકો મોટી સંખ્યામાં ત્યાં પહોંચી ગયા હતા. પોલીસ અને ઈસીએલએ કહ્યું છે કે, આ ઘટનાની તપાસ ચાલી રહી છે.
અલગ અલગ જગ્યાએ થઈ દુર્ઘટના
પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર દુર્ઘટના કાપાસાડા આઉટસોર્સિંગમાં થઈ, જ્યાં લોકો ગેરકાયદેસર રીતે ખનન કામ કરવા સવારના સાત વાગ્યાથી લાગી ગયા હતા. પણ અડધા કલાક બાદ ત્યાંથી નીચે પડ્યા હતા. તેમાં મગુમાના ત્રણ લોકોના મોત થઈ ગયા હતા. ત્રીજી ઘટના બીસીસીએલ સીવી એરિયાની છે. જ્યાં ગેરકાયદેસર કોલસા ખનન દરમિયાન ત્રણ લોકોના મોત થયા હતા. તેમાં કેટલીય મહિલાઓ દટાઈ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. કહેવાય છે કે, આ તમામ લોકો પતલાબાડીના છે.
પોલીસે કહ્યું તપાસ ચાલી રહી છે.
ધનબાદ પોલીસનું કહેવું છે કે, ઘટના ઘટી છે અને મામલાની તપાસ ચાલી રહી છે. પણ આ ગેરકાયદેસર ખનનમાં જે લોકો દટાયા હોવાની વાત થઈ રહી છે. હજૂ સુધી તેમના વિશે કોઈ જાણકારી સામે આવી નથી.