WHO એ જણાવ્યું છે કે 9 અઠવાડિયા બાદ દુનિયામાં ફરી વાર કોરોનાના કેસો વધવા લાગ્યાં છે અને ભારત તથા બ્રાઝીલમાં સૌથી વધારે કેસો છે.
કોરોનાએ ફરી વાર ડરાવવાનું શરુ કર્યું
9 અઠવાડિયા બાદ દુનિયામાં ફરી વાર કોરોનાના કેસોમાં ઉછાળો
ભારત તથા બ્રાઝીલમાં સૌથી વધારે કેસો
કોરોના મહામારીએ દુનિયામાં મૂળ જમાવ્યા હોવાનું લાગી રહ્યું છે. WHO એ જણાવ્યું કે 9 અઠવાડિયાથી સતત કોરોનાના કેસોમાં ઘટાડો આવવા લાગ્યો હતો પરંતુ છેલ્લા એક અઠવાડિયાથી કોરોનાના કેસોમાં ફરી વાર વધારો થઈ રહ્યો છે. ગત અઠવાડિયે દુનિયાભરમાં કોરોનાના 30 લાખ કરતા પણ વધારે નવા કેસો સામે આવ્યાં છે.
WHO જારી કરેલા વીકલી રિપોર્ટમાં જણાવ્યું કે 5 જુલાઈથી 11 જુલાઈની વચ્ચે કોરોનાના સૌથી વધારે કેસો જોવા મળ્યાં હતા. બ્રાઝીલ પછી ભારતમાં પણ કેસો વધવા લાગ્યા છે. બ્રાઝીલમાં 3.33 લાખ તો ભારતમાં 2.91 લાખ કરતા વધારે કેસો નોંધાયા છે.
111 દેશમાં ફેલાયો ડેલ્ટા વેરિયન્ટ
WHO રિપોર્ટમાં કહેવાયું કે હાલમાં 111 દેશોમાં કોરોનાના ડેલ્ટા વેરિયન્ટ ફેલાયો છે. WHO ના ડિરેક્ટર ટેડ્રોસે જણાવ્યું કે વૈશ્વિક સ્તરે સતત ચોથા અઠવાડિયાથી નવા કેસોમાં વધારો જોવાયો છે. ચિંતાની વાત એ છએ કે દસ અઠવાડિયાના ઘટાડા બાદ મોતની સંખ્યા ફરી વધવા લાગી છે. તેમણે કહ્યું કે ડેલ્ટા વેરિયન્ટ ઝડપથી ફેલાઈ રહ્યો છે અને નવા કેસો તથા મૃતકોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. તેમણે જણાવ્યું કે કોરોનાનો આ વેરિયન્ટ 111 દેશોમાં પહોંચી ચૂક્યો છે અને થોડા સમયમાં આખી દુનિયામાં ફરી વળશે. અમેરિકાના 40 કરતા પણ વધારે પ્રાંતોમાં કોરોનાના દૈનિક કેસોની સંખ્યામાં વધારો થયો છે. અમેરિકામાં હવે દરરોજના 19 હજાર કેસો આવવા લાગ્યાં છે અને ડેલ્ટા વેરિયન્ટને કારણે કેસો વધી રહ્યાં હોવાનું મનાઈ રહ્યું છે. તૂર્કીમાં પણ ડેલ્ટા વેરિયન્ટનો કેર વધી રહ્યો છે.
વાસ્તવિક સંખ્યાથી ઓછા છે મૃત્યુ આંકઃ WHO
દુનિયામાં કોરોનાથી જીવ ગુમાવનારાનો નવો આંક આવ્યા બાદ ડબલ્યૂએચઓના પ્રમુખે કહ્યું છે કે આ એક મહામારીની ખતરનાક સ્થિતિ છે. તેઓએ કહ્યું કે 40 લાખ મોતનો આંકડો વાસ્તવિક સંખ્યાથી ઓછો છે અને અનેક જગ્યાએ તેની યોગ્ય જાણકારી આપવામાં આવી રહી નથી. તેઓએ રસી અને સુરક્ષા ઉપરકરણોની જમા ખોરીને લઈને અમીર દેશ પર નિશાન સાધ્યું છે. સાથે પાબંધીમાં ઢીલ આપી રહેલા દેશને કહ્યું કે એવું કામ કરી રહ્યા છે જાણે કે મહામારી ખતમ થઈ ચૂકી છે.