CBIએ ABG શિપયાર્ડ અને તેના તત્કાલિન અધ્યક્ષ તથા નિર્દેશક ઋષિ કમલેશ અગ્રવાલ સહિત અન્ય વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. 28 બેંકો સાથે 22,842 કરોડ રૂપિયાની છેતરપીંડીના આરોપમાં FIR નોંધવામાં આવી છે.
CBIના ઈતિહાસમાં સૌથી મોટી ફરિયાદ
ગુજરાત સાથે નાતો ધરાવતી આ કંપનીએ 28 બેંકોને લગાવ્યો ચૂનો
LICને પણ ન છોડી, 136 કરોડનું કરી નાખ્યું
CBIએ ABG શિપયાર્ડ અને તેના તત્કાલિન અધ્યક્ષ તથા નિર્દેશક ઋષિ કમલેશ અગ્રવાલ સહિત અન્ય વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. 28 બેંકો સાથે 22,842 કરોડ રૂપિયાની છેતરપીંડીના આરોપમાં FIR નોંધવામાં આવી છે. કંપની જહાજ નિર્માણ અને જહાજ રિપેરીંગનું કામ કરે છે. તેનું શિપયાર્ડ ગુજરાતના દહેજ અને સૂરતમાં આવેલા છે. આ કંપનીની કુલ 8 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. FIRમાં જણાવ્યા અનુસાર કૌભાંડનો સમય એપ્રિલ 2012થી જૂલાઈ 2017 સુધી બતાવામાં આવ્યો છે. આ સીબીઆઈ દ્વારા નોંધવામાં આવેલ સૌથી મોટી બેંક કૌભાંડનો કિસ્સો છે.
CBI has registered an FIR against ABG Shipyard and its directors for allegedly cheating 28 banks of Rs 22,842 crores. The company is engaged in shipbuilding and ship repair. Its shipyards are located in Dahej and Surat in Gujarat: CBI official
એસબીઆઈના ડીજીએમે ગુજરાતની કેટલીય કંપનીઓ પર 22842 કરોડનો ફ્રોડનો આરોપ લગાવ્યો છે. આ કૌભાડને બૈંકીંગ ફ્રોડમાં અત્યાર સુધીનો સૌથી મોટું કૌભાંડ કહેવાય છે. કારણ કે, નીરવ મોદીથી પણ આ મોટું કૌભાંડ છે. સીબીઆઈની ફરિયાદ મુજબ ફ્રોડ કરનારા બંને કંપનીઓ મુખ્ય છે. તેમના નામ એબીસી શિપયાર્ડજ અને એબીજી ઈંટરનેશનલ પ્રાઈવેટ લિમિટેડ છે. આ બંને કંપનીઓ એક જ ગ્રુપની છે.
LICને પણ 136 કરોડનો ચૂનો લગાવ્યો
FIRમાં જણાવ્યા અનુસાર આ કંપનીએ તમામ નિયમ કાયદાને નેવે મુકીને બેંકોને ચૂનો લગાવ્યો છે. બેંકો સાથે સાથે એલઆઈસીને પણ 136 કરોડ રૂપિયા ચૂનો લગાવ્યો છે. એસબીઆઈને 2468 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. આરોપ છે કે, આ બેંકથી ફ્રોડ માટે આપવામાં આપેલા પૈસાને વિદેશોમાં પણ મોકલવામાં આવતા હતા અને કેટલીય પ્રોપર્ટી ખરીદવામાં આવી હતી. તમામ નિયમો કાયદાને નેવે મુકીને પૈસા એક કંપનીથી બીજી કંપનીમાં મોકલવામાં આવતા હતા.
આટલી બેંકોમાં ભોપાળું બોલાવ્યું
SBIની ફરિયાદ મુજબ કંપની પાસે આઈસીઆઈસીઆઈ બેંકના 7089 કરોડ, 3634 કરોડ રૂપિયા આઈડીબીઆઈ બેંક, 1614 કરોડ રૂપિયા બેંક ઓફ બરોડા, 1244 કરોડ પંજાબ નેશનલ બેંક, 1228 કરોડ રૂપિયા ઈંડિયન ઓવરસીઝ બેંકના છે.
દોઢ વર્ષ સુધી ચાલી તપાસ, બાદમાં FIR દાખલ કરી
બેંકે સૌથી પહેલા 8 નવેમ્બર 2019ના રોજ ફરિયાદ દાખલ કરી હતી. જેના પર સીબીઆઈએ 12 માર્ચ 2020ના રોજ અમુક સ્પષ્ટીકરણ માગ્યા હતા. બેંકે તે વર્ષે ઓગસ્ટમાં એક નવી ફરિયાદ નોંધાવી હતી. દોઢ વર્ષથી વધારે સમય સુધી તપાસ કર્યા બાદ સીબીઆઈએ 7 ફેબ્રુોઆરી 2022ના રોજ FIR નોંધવી ફરિયાદ પર કાર્યવાહી કરી છે.