કચ્છ: અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા આમરણાંત ઉપવાસ પર ઉતર્યા છે. અબડાસા નજીકના ત્રણ તાલુકાઓમાં આવેલી કંપનીઓમાં સ્થાનિકોને રોજગારીના મુદ્દે ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેડા ઉપવાસ પર ઉતર્યા છે.
તેમની માગ છે કે સરકારના નિયમ પ્રમાણે 70 ટકા સ્થાનિકોને રોજગારી આપવામાં આવે અને કંપનીઓમાં કરવામાં આવતી દાદાગીરી બંધા થાય. આ ઉપરાંત દુષ્કાળ અને અછતની પરિસ્થિતમાં કંપનીઓ પોતાની સામાજિક જવાબદારીઓ નિભાવે.
ત્યારે અહીં સવાલ ઉભા થાય છે કે શું અબડાસાના ઔદ્યોગિક એકમો સામાજિક દાયિત્વ ભુલી ગયા છે? દુષ્કાળની સ્થિતિમાં કેમ સ્થાનિકોને રોજગારીથી વંચિત રખાય છે? શું રાજ્યમાં 70 ટકા સ્થાનિકોને રોજગારી આપવાના નિયમો નેવે મુકાયા છે? કેમ કંપનીઓ જે જગ્યાના સંસાધનો વાપરે છે ત્યા રોજગારી નથી આપતી? જળ જમીન અને સંસાધનો આપ્યા બાદ પણ રોજગારી નહી તો ઉદ્યોગ શું કામના? શું વિરોધપક્ષના ધારાસભ્ય હોવાથી સરકારનું દ્વેષભર્યુ વલણ છે? રોજગારીના અભાવે ખાલી થઈ રહેલા ગામાડાઓ સામે ક્યારે ધ્યાન આપાશે?