કોરોના સંકટ દરમિયાન કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરાયેલ રાહત પેકેજનો ફાયદો હેવ સૂક્ષ્મ, લઘુ તેમજ મધ્યમ ઉદ્યોગો (MSME) ને મળવાનો શરૂ થઇ ગયો છે. નાણાં મંત્રાલયના જણાવ્યાં મુજબ અત્યાર સુધીમાં સરકારની ઇમરજન્સી ક્રેડિય લાઇન ગારંટી સ્કીમ (ECLGS) હેઠળ 75,000 કરોડ રૂપિયાની લોન મંજૂર કરવામાં આવી છે.
આત્મનિર્ભર ભારત પેકેજનો MSMEને મળવા લાગ્યો ફાયદો
આ સ્કીમ હેઠળ 75 હજાર કરોડ રૂપિયાની લોન કરાઇ મંજૂર
નાણા મંત્રાલયના જણાવ્યાં અનુસાર 1 જૂનથી શરૂ 100 ટકા ગેરેંટીવાળી આ યોજના હેઠળ અત્યાર સુધીમાં 32,894.86 કરોડ રૂપિયાની લોન આપવામાં આવી છે.
શું છે સ્કીમ
ઉલ્લેખનીય છે કે કોરોના સંકટથી પ્રભાવિત સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો (MSMEs) ની મદદને લઇને સરકારે ઇમરજન્સી ક્રેડિટ લાઇન ગેરેંટી સ્કીમ (ECLGS) ના માધ્યમથી 9.25 ટકાના રાહત દરે ત્રણ લાખ કરોડ રૂપિયા સુધીની વધારાની લોન આપવા અંગે જણાવ્યું હતું. નાણા મંત્રી નિર્મલા સીતારમણે કોરોના વાયરસ મહામારીથી પ્રભાવિત અર્થવ્યવસ્થાને મદદ આપવા માટે ગત મહીને 20 લાખ કરોડ રૂપિયાના આત્મનિર્ભર પેકેજની જાહેરાત કરી હતી.
આ પેકેજ હેઠળ સુક્ષ્મ, લઘુ તેમજ મધ્યમ ઉદ્યોગ (MSME) માટે 3 લાખ કરોડ રૂપિયાની ઇમરજન્સી ક્રેડિટ લાઇન ગેરેંટી સ્કીમ જાહેર કરી હતી.
રાજ્યકક્ષાના નાણામંત્રીએ આ અંગેની જાણકારી આપી
રાજ્યકક્ષાના નાણામંત્રી અનુરાગ ઠાકુરએ ટ્વિટ કરી જણાવ્યું હતું કે આ યોજના હેઠળ અત્યાર સુદીમાં કુલ 75,426.38 કરોડ રૂપિયાની લોન મંજૂર કરવામાં આવી છે. જેમાંથી 32,894.86 કરોડ રૂપિયા આપી દેવામાં આવ્યાં છે.
UPDATE:
Total amount sanctioned under the 100% Emergency Credit Line Guarantee Scheme by #PSBs and Private Banks stands at Rs 75,426.39 crore, of which Rs 32,894.86 crore has already been disbursed.@FinMinIndiapic.twitter.com/9lWmdxTj06
— Office of Mr. Anurag Thakur (@Anurag_Office) June 22, 2020
જેમાં સાર્વજનિક ક્ષેત્રના 21 અને ખાનગી ક્ષેત્રના 16 બેંકોના આંકડા સામેલ છે. એમાંથી સાર્વજનિક ક્ષેત્રના બેંકોમાં અત્યાર સુધીમાં 42,739.12 કરોડ રૂપિયા મંજૂર કર્યાં છે જેમાંથી 22,197.54 કરોડ રૂપિયા આપી દેવામાં આવ્યાં છે.