દિલ્હીમાં શાનદાર જીત બાદ AAP ની નજર હવે ગુજરાત તરફ મંડરાઇ રહી છે. જો કે દિલ્હીમાં મળેલી શાનદાર જીત બાદ AAP ક્રેઝ દેશમભરમાં વધી રહેલો જોવા મળી રહ્યો છે, જેની અસર ગુજરાતમાં પણ જોવા મળી છે. રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના પૂર્વ પ્રમુખ સહિતના હોદ્દેદારો AAP માં જોડાય તેવી શક્યતા છે.
ગુજરાત રાજ્યમાં પણ વધ્યો આમ આદમી પાર્ટીનો ક્રેઝ
રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના પૂર્વ પ્રમુખ સહિતના હોદ્દેદારો જોડાશે
શિવલાલ બારસિયા સહિતના હોદ્દેદારો AAPમાં જોડાશે
AAP નો ક્રેઝ ગુજરાતમાં ધીરે-ધીરે વધી રહેલો જોવા મળી રહ્યો છે ત્યારે શાસક પક્ષ ભાજપ અને વિપક્ષ કોંગ્રેસ માટે આગામી સમય કપરો આવે તેવી સંભાવના જોવામાં આવી રહી છે.
હવે રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના પૂર્વ પ્રમુખ સહિતના હોદ્દેદારોએ AAPમાં જોડાવાનો નિર્ણય કર્યો છે. શિવલાલ બારસિયા સહિતના હોદ્દેદારોએ AAPમાં જોડાવાનો નિર્ણય કર્યો છે. AAPની શિક્ષણનીતિ અને આરોગ્યનીતિથી પ્રેરિત થઇ રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના પૂર્વ પ્રમુખ શિવલાલ બારસિયા સહિતના હોદ્દેદારોએ AAPમાં જોડાવાનો નિર્ણય કર્યો છે.
ઉલ્લેખનીય છે કે ગઇકાલે એવી અટકળો સામે આવી હતી કે રાજકોટ મનપાના પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન રાજભા ઝાલા આમ આદમી પાર્ટીમાં જોડાય તેવી શક્યતા છે. જો કે રાજભા ઝાલાને AAP માં જોડાવાને લઇને પૂછવામાં આવેલા સવાલના જવાબમાં જણાવ્યું હતું કે આ મુદ્દે થોડા દિવસમાં હું નિર્ણય લઇશ. અગાઉ રાજભા ઝાલાએ ભાજપમાંથી બળવો કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે 2014ની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની ગુજરાતમાં એન્ટ્રી થઇ ગઇ હતી. ગુજરાતમાં લોકોને જોડાવા માટે આમ આદમી પાર્ટી દ્વારા કેમ્પેઇન કરવામાં આવ્યું હતું. 2014માં ગુજરાતમાં આમ આદમી પાર્ટીએ સર્વે કર્યો હતો. જો કે જે તે સમયે ગુજરાતમાં ભાજપનો ક્રેઝ વધારે હોય કેમ્પેઇનમાં સફળતા મળી નહોતી. જો કે પંજાબની ચૂંટણીમાં મળેલી હાર બાદ આમ આદમી પાર્ટી હિંમત હારી ગયેલી જોવા મળી હતી. જો કે હવે ફરી દિલ્હીમાં પ્રચંડ બહુમતિ મેળવ્યાં બાદ ફરી બે ગણા જોશ સાથે ફરી દિલ્હી સિવાયના રાજ્યોમાં AAP પોતાનું કેમ્પેઇન ફરી શરી કરી રહી હોય તેવું લાગી રહ્યું છે.