બોલીવૂડ અભિનેતા આમિર ખાને બે લગ્ન કર્યા હતા, કિરણ રાવ સાથે 2005માં આમિરે લગ્ન કર્યા હતા અને હવે તે સંબંધનો પણ અંત આવી ગયો છે.
આમિર ખાન લેશે બીજીવાર ડિવોર્સ
પત્ની કિરણને આપશે ડિવોર્સ
કપલે ઓફીશ્યલ સ્ટેટમેન્ટ આપ્યુ
આમિરે અચાનક પત્નીને ડિવોર્સ આપીને લોકોને ચોંકાવી દીધા છે. રિપોર્ટ અનુસાર કિરણ અને આમિર મુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગથી જુદા પડી રહ્યાં છે અને ઓફીશ્યલ સ્ટેટમેન્ટ પણ આપી દીધુ છે.
Actor Aamir Khan and his wife Kiran Rao, in a joint statement announce divorce after 15 years of marriage.
The couple said, "We would like to begin a new chapter in our lives - no longer as husband and wife, but as co-parents and family for each other." pic.twitter.com/gnQd2UPLTZ
બંનેએ ઓફીશ્યલ સ્ટેટમેન્ટ આપ્યુ કે, 15 વર્ષ સાથે વિતાવ્યા બાદ અમે હસી ખુશીથી દરેક પળ જીવ્યા અને અમારો વિશ્વાસ, સન્માન અને પ્રેમ સાથે જીવ્યા. હવે અમે જીવનનો નવો અધ્યાય શરૂ કરીશું. જે પતિ-પત્નીને લઇને નહી પરંતુ પરિવારની જેમ હશે.
અમે થોડા સમય પહેલા સેપરેશન પ્લાન કર્યુ અને હવે અમે અલગ અલગ રહેવાની વ્યવસ્થામાં સહજ છીએ. અમે દિકરા આઝાદના પેરેન્ટ્સ બનેલા રહીશું અને તેનો ઉછેર સાથે કરીશું. અમે ફિલ્મો સાથે પોતાના પાણી ફાઉન્ડેશન સાથે કામ કરતા રહીશું.
લગાનના સેટ પર થઇ હતી મુલાકાત
એક ઇન્ટરવ્યૂમાં આમિરે કહ્યું હતુ કે કિરણ સાથે તેની પહેલી મુલાકાત લગાનના સેટ પર થઇ હતી જ્યારે તે એક આસિસ્ટન્ટ ડાયરેક્ટર હતી.
આમિરે કહ્યું કે, એક દિવસ કિરણનો ફોન આવ્યો અને તેની સાથે 30 મિનીટ વાત કરી હતી. કિરણ સાથે થયેલી વાતચીત બાદ હું ખુશીથી ઉછળી ઉઠ્યો હતો. તે ફોન બાદ મે કિરણને ડેટ કરવાની શરૂઆત કરી હતી. 1-2 વર્ષ સુધી અમે એકબીજાને ડેટ કર્યા હતા અને પછી મને અહેસાસ થયો હતો કે કિરણ વગર હું મારી લાઇફ ઇમેજીન કરી શકુ તેમ નથી. તેમાં સારી વાત તે છે કિરણ એક સ્ટ્રોંગ વુમન છે અને બાદમાં અમે અમારા સંબંધોને એક નામ આપ્યુ હતુ. અમે લગ્ન કરી લીધા હતા.
સેરોગસીથી થયો આઝાદનો જન્મ
કિરણ અને આમીરને એક દિકરો છે જેનું નામ આઝાદ છે અને તે 10 વર્ષનો છે. કિરણને કન્સીવ કરવામાં ખુબ જ તકલીફ પડતી હતી માટે તેણે સેરોગસીનો ઓપ્શન શોધ્યો હતો. જે બાદ 2011માં આઝાદનો જન્મ થયો હતો.
2002માં તૂટ્યા પહેલા લગ્ન
આમિરે પહેલા લગ્ન રીના દત્તા સાથે કર્યા હતા. આમિર જ્યારે કયામત સે કયામત તકનું શૂટ કરી રહ્યો હતો ત્યારે તેણે રિના સાથે લગ્ન કરી લીધા હતા. રિના સાથે તેણે 18 એપ્રિલ 1986ના રોજ લગ્ન કરી લીધા હતા. તેમના લગ્ન 16 વર્ષ સુધી ચાલ્યા હતા. 2002માં તેમના ડિવોર્સ થઇ ગયા હતા. તે લગ્ન થકી આમિરને બે બાળકો છે. દિકરો જુનૈદ અને દીકરી આયરા ખાન.જે રિના દત્તા સાથે રહે છે.