ઉદ્ધવ ઠાકરે આજે સાંજે મહારાષ્ટ્રના સીએમ પદની શપથ લઈ રહ્યા છે. આ સાથે એ પણ સ્પષ્ટ થઈ ચૂક્યું છે કે કેબિનેટમાં કોને કયું સ્થાન મળશે. મળતી માહિતી અનુસાર આ કેબિનેટથી તેમના દીકરા આદિત્ય ઠાકરે દૂર રહી શકે છે.
નવા મંત્રીમંડળમાં નહીં મળે આદિત્ય ઠાકરેને સ્થાન
મંત્રીમંડળને બદલે બનશે ટોપ ટીમનો મહત્વનો ભાગ
કેબિનેટના અન્ય સભ્યોના નામ પણ થઈ ચૂક્યા છે નક્કી
પ્રધાનમંડળમાં આદિત્ય ઠાકરેને સ્થાન નહીં
ગુરુવારે નવા મુખ્યમંત્રીની સાથે જ મહારાષ્ટ્રને નવી કેબિનેટ મળશે. બીજી તરફ ડેપ્યુટી સીએમ પદ કોને મળશે તે અંગે અટકળો ચાલી રહી છે ત્યારે સૂત્રો કહે છે કે ઉદ્ધવ ઠાકરેની અધ્યક્ષતાવાળી શિવસેનાના પ્રધાનમંડળમાં તેમના પુત્ર આદિત્ય ઠાકરેનો સમાવેશ કરવામાં આવશે નહીં. જો કે, તે ચોક્કસપણે શિવસેના પાર્ટીની ટોચની ટીમનો મહત્વપૂર્ણ ભાગ હશે.
આ કારણે આદિત્યને પ્રધાનમંડળમાં નહીં મળે સ્થાન
શિવસેનાના એક અધિકારીએ કહ્યું કે એક જ પરિવારના બે લોકો મંત્રીમંડળનો ભાગ હોય તો તેનાથી પાર્ટીની છબીને અસર થઈ શકે છે. આ જ કારણ છે કે આદિત્યએ મંત્રીમંડળમાં કોઈ પદ ન લેવું જોઇએ. જો કે તે સરકાર અને શિવસેનાની આગેવાનીવાળી પાર્ટીની ટોચની ટીમનો ભાગ બનશે.
સોંપાઈ શકે છે અન્ય મોટી જવાબદારી
અધિકારીએ કહ્યું કે આદિત્ય ઠાકરેને મંત્રીમંડળથી દૂર રાખવા એ પણ પાર્ટીના દૃષ્ટિકોણથી ફાયદાકારક હોઈ શકે છે. મંત્રીમંડળનો ભાગ ન બનીને, 29 વર્ષીય ઠાકરે પક્ષના સ્તરે પ્રશ્નોનું નિરાકરણ અને જવાબદારી સોંપી શકે છે. તેમણે જણાવ્યું હતું કે રાજ્યભરમાં પાર્ટીના કાર્યકરો સાથે વાતચીત કરવા માટે તેઓ વિવિધ જિલ્લાઓની મુલાકાત પણ લઈ શકશે.
ઉલ્લેખનીય છે કે આદિત્ય ઠાકરે વરલી મત વિસ્તારથી જીત્યા હતા અને બુધવારે તેમણે અન્ય ધારાસભ્યો સાથે ધારાસભ્ય તરીકે શપથ લીધા હતા. તે શિવસેનાની યુવા શાખાના વડા પણ છે.