જૂનનો મહિનો પુરો થવા આવ્યો છે પરંતુ એવા અમુક જરૂરી કામ છે જેને તમારે 30 જૂન પહેલા પુરા કરી લેવા જોઈએ.
30 જૂન પહેલા પુરા કરી લો આ કામ
બાદમાં નહીં થેય પરેશાની
જરૂરી દસ્તાવેજ કરી લો અપડેટ
જૂનનો મહિનો પુરો થવા આવ્યો છે એવામાં એવા જરૂરી કામ છે જેને તમારે 30 જૂન પહેલા પુરા કરી લેવા જોઈએ. આ કામોને 30 જૂન સુધી પુરા નહીં કરવા પર તમને પરેશાનીનો સામનો કરવો પડી શકે છે. તેમાં તમારા જરૂરી દસ્તાવેજ જેવા કે આધાર, પાનથી લઈને રાશન કાર્ડ સાથે જોડાયેલા કામ શામેલ છે.
પોતાના આધાર અને પાનને કરો લિંક
જો તમે અત્યાર સુધી પોતાના આધાર અને પાનને લિંક નથી કર્યું તો જલ્દી આ કામ પુરૂ કરી લો. પાનને આધાર સાથે લિંક કર્યા લગર તેને એક્ટિવ રાખવાની ડેડલાઈનને 31 માર્ચ 2023 સુધી વધારી દેવામાં આવી છે. કેન્દ્રીય પ્રત્યક્ષ કર બોર્ડ (CBDT)એ 29 માર્ચ 2022ની તારીખ વાળા નોટિફિકેશન દ્વારા આ એલાન કર્યું હતું.
પરંતુ તમે 30 જૂન 2022 અથવા તેના પહેલા પાનને આધાર સાથે લિંક કરો છો તો તમારે 500 રૂપિયાનો ચાર્જ આપવાનો રહેશે. ત્યાં જ જો તમે 1 જુલાઈ 2022 અથવા તેના બાદ આધાર અને પાનને લિંક કરો છો તો 1,000 રૂપિયા આપવાની જરૂર પડશે. એટલે કે 30 જૂન સુધી તમે આધાર-પાન લિંક કરાવી દેશો તો કોઈ દંડ નહીં લાગે.
તમારા ડીમેટ એકાઉન્ટનું KYC કરાવી લો
ડીમેટ અને ટ્રેડિંગ એકાઉન્ટ ખાતા વાળાને 30 જૂન સુધી એક જરૂરી કામ પુરૂ કરવાનું છે. જો તમારા ડીમેટ-ટ્રેડિંગ ખાતાનું કેવાઈસી નથી કરવામાં આવ્યું તો તમારી પાસે આ કરવાનો 30 જૂન સુધીનો સમય છે. આ પહેલા તેની ડેડલાઈન 31 માર્ચ 2022 હતી.
હવે જે પણ ડીમેટ અથવા ટ્રેડિંગ ખાતા ખુલે કે ખુલવાના છે. તેમાં છ પ્રકારની જાણકારી આપવી જરૂરી છે. આ જાણકારીમાં નામ, એડ્રેસ, પેન, વેલિડ મોબાઈલ નંબર, ઈમેલ આઈડી વિશે જણાવવું જરૂરી છે. સાથે જ ગ્રાહકોને આધાર નંબર તેમના પાન સાથે લિંક હોવો જોઈએ.
નિયમ અનુસાર જો કોઈ ખાતાધારક ડીમેટ અને ટ્રેડિંગ એકાઉન્ટમાં આ જાણકારીઓને અપડેટ નહીં કરે તો તેમનું એકાઉન્ટ નિષ્ક્રિય એટલે કે ઈનેક્ટિવ કરી દેવામાં આવશે. તેમના ખાતામાં પહેલાથી જે શેર કે પોર્ટફોલિયો છે તે બની રહેશે. પરંતુ નઈ રીતે કોઈ પણ ખરીદ-વેચાણ નહીં કરી શકે. આ ખાતું ફરી ત્યારે જ સક્રિય થશે જ્યારે તેમાં કેવાઈસી ડિટેલને અપડેટ કરવામાં આવશે.
રાશન કાર્ડને આધાર સાથે આ રીતે કરો લિંક
જો તમે અત્યાર સુધી રાશન કાર્ડને આધાર સાથે લિંક નથી કર્યું તો તેને 30 જૂન 2022 સુધી કરી લો. પહેલા જાહેર કરવામાં આવ્યું હતું કે બન્ને કાગળોને 31 માર્ચ સુધી ગમે તે રીતે લિંક કરી લેવાનું રહેશે.
પરંતુ માર્ચમાં તેની ડેડલાઈનને વધારીને 30 જૂન 2022 કી દેવામાં આવી હતી. સરકારે રાશન કાર્ડને જ્યારથી યુનિવર્સલ અથવા એક દેશ-એક રાશન કાર્ડનું એલાન કર્યું છે ત્યારથી આધારથી તેને જોડવા પર જોર આપવામાં આવી રહ્યું છે.
આધારથી જોડવાની સાથે જ ભ્રષ્ટાચાર અને અનિયમિતતા પર પણ અંકુશ લગાવવાની તૈયારી છે. ખાસ રીતે રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ હેઠળ પ્રવાસી આબાદી, જે પોતાના અસ્થાયી કામકાજી જગ્યા પર રાશનથી વંચિત રહી જાય છે. તેમના માટે આધાર કાર્ડને રાશન કાર્ડથી જોડવા મહત્વપૂર્ણ છે. બન્ને કાગળને લિંક થવાથી ગમે ત્યાંથી રાશનનો લાભ ઉઠાવી શકે છે.