આધાર કાર્ડ યુઝર્સ માટે રાહતની ખબર સામે આવી છે. આધાર જાહેર કરતી સંસ્થા UIDAIએ જણાવ્યું કે હવે તમે આધાર સાથે જોડાયેલા કામ વધારે સરળતાથી કરી શકશો.
આધાર કાર્ડ યુઝર્સ માટે રાહતના સમાચાર
હવે સરળતાથી થઈ શકશે સુધારો
જાણો UIDAIએ શું કરી જાહેરાત
આધાર કાર્ડ યુઝર્સ (Aadhaar card) માટે રાહતના સમાચાર સામે આવી રહ્યા છે. આધાર કાર્ડ આપતી સંસ્થા UIDAIએ જણાવ્યું કે હવે તમે આધાર સાથે જોડાયેલા કામ વધુ સરળતાથી કરી શકો છો. આધાર કેન્દ્રો પર લાગતી ભીડથી તમને રાહત મળશે. જણાવી દઈએ કે UIDAIની તરફથી આયોજીત 166 આધાર સેવા કેન્દ્રોમાંથી અત્યાર સુધી 58 કેન્દ્ર પર કામ શરૂ થઈ ચુક્યા છે. જ્યાં તમે અપડેટના કામ સરળતાથી કરી શકો છો.
દૂર થશે આધાર સાથે જોડાયેલી સમસ્યાઓ
જણાવી દઈએ કે UIDAIની તરફથી જાહેર કરવામાં આવેલા આ આધાર સેવા કેન્દ્રો પર યુઝર્સ પોતાનું એડ્રેસ, નામ અને જન્મતારીખ સાથે જોડાયેલા કામ સરળતાથી કરી શકશે. આ ઉપરાંત આધાર સાથે જોડાયેલી બીજી કોઈ પણ પ્રકારની મુશ્કેલી માટે તમે અહીં સંપર્ક કરી શકો છો.
58 કેન્દ્રોની થઈ ચુકી છે સ્થાપના
UIDAIના મુખ્ય કાર્યપાલક અધિકારી સૌરવ ગર્ગે ગાજીયાબાદમાં આધાર સેવા કેન્દ્રના શુભારંભ પર કહ્યું, "UIDAIS દેશભરના 122 શહેરોમાં 166 આધાર સેવા કેન્દ્ર સંચાલિત કરવાની યોજના બનાવી છે. તેમાંથી અત્યાર સુધી 58 કેન્દ્રોની સ્થાપના પુરી થઈ ચુકી છે અને તેમણે કામ પણ કરવાનું શરૂ કરી દીધુ છે. " તેમણે જણાવ્યું કે, "અહીં દરેક કેન્દ્ર સુવિધા વાળા છે અને તેને બેસવાની પર્યાપ્ત ક્ષમતાની સાથે ડિઝાઈન કરવામાં આવ્યા છે તથા તેમણે દિવ્યાંગોની જરૂરીયાતોને ધ્યાનમાં રાખતા બનાવવામાં આવ્યા છે."
આધાર કેન્દ્રનું કરવામાં આવશે ઉદ્ધાટન
એક અધિકારીએ જણાવ્યા અનુસાર, ઈલેક્ટ્રોનિક્સ અને આઈટી રાજ્યમંત્રી રાજીવ ચંદ્રશેખર અને માર્ગ પરિવહન, રાજમાર્ગ અને નાગરિક ઉડ્ડયન રાજ્ય મંત્રી વી કે સિંહે રવિવારે ગાજીયાબાદમાં સંયુક્ત રૂપથી ઉત્તર પ્રદેશમાં સ્થિત આ પાંચમાં આધાર સેવા કેન્દ્રનું ઉદ્ધાટન કર્યું.