રક્ષાબંધનના તહેવારને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યાં છે. આ વર્ષે 22 ઓગસ્ટના રોજ રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવશે.
રક્ષાબંધન પર બની રહ્યો છે સંયોગ
474 વર્ષ બાદ બનશે આ અદભૂત સંયોગ
ભાગ્યશાળી બનાવે છે આ યોગ
474 વર્ષ બાદ યોજાયો સંયોગ
રક્ષાબંધન ભાઇ બહેનનો તહેવાર છે અને તે દિવસે બહેન ભાઇના કાંડે રાખડી બાંધે છે. આ વર્ષે 474 વર્ષ બાદ એક ખાસ સંયોગ બની રહ્યો છે.
ઘનિષ્ઠા નક્ષત્રમાં રક્ષાબંધનનો તહેવાર
જ્યોતિષીઓ અનુસાર, સામાન્ય રીતે રક્ષાબંધનનો તહેવાર શ્રાવણ નક્ષત્રમાં ઉજવવામાં આવે છે પરંતુ આ વર્ષે શ્રાવણ પૂર્ણિમા પર ઘનિષ્ઠ નક્ષત્રમાં ઉજવવામાં આવશે. આ વર્ષે રક્ષાબંધન પર ભદ્રાનો પડછાયો પણ નહી પડે જેના કારણે આખો દિવસ બહેન ભાઇને રાખડી બાંધી શકશે.
રાખડી બાંધવાનું મૂર્હુત
આ વર્ષે રક્ષાબંધન પર સવારે 5.50 વાગ્યાથી સાંજે 6.03 સુધી શુભ મૂર્હુત રહેશે. આ સમય દરમિયાન તમે ગમે ત્યારે ભાઇને રાખડી બાંધી શકશો. ભદ્રા કાળ 23 ઓગસ્ટે સવારે 5 વાગ્યાથી સવારના 10 વાગ્યા સુધી જ રહેશે. માનવામાં આવે છે કે ઘનિષ્ઠા નક્ષત્રમાં પેદા થનારા લોકોનો ભાઇ બહેન સાથેનો સંબંધ ખુબ ખાસ હોય છે.
474 વર્ષ બાદ બની રહ્યો છે સંયોગ
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ વર્ષે રક્ષાબંધન પર સિંહ રાશિમાં સૂર્ય, મંગળ અને બુધ ગ્રહ એક સાથે બિરાજમાન થશે. સિંહ રાશિનો સ્વામી સૂર્ય છે, આ રાશિમાં મિત્ર મંગળ પણ તેમની સાથે રહેશે અને શુક્ર કન્યા રાશિમાં રહેશે. આ પ્રકારનો યોગ ખુબ જ શુભ અને ફળદાયી રહેશે.
ભાગ્યશાળી બનાવે છે આ યોગ
ગુરુ અને ચંદ્રની આ જોડથી ગજકેસરી યોગ બની રહ્યો છે. જ્યારે ચંદ્ર અને ગુરુ કેન્દ્રમાં એક બીજા તરફ દ્રષ્ટિ કરીને બેઠા હશે ત્યારે જે યોગ બને છે તે લોકોને ખુબ ભાગ્યશાળી બનાવે છે. ગજ કેસરી યોગ બનવાથી રાજસી સુખ અને સમાજમાં માન સન્માનની પણ પ્રાપ્તિ થાય છે.