સૌરાષ્ટ્રના પાટીદાર અગ્રણી નરેશ પટેલે ફરી રાજકારણને લઈને સૂચક નિવેદન આપ્યું છે. સાકરિયા પરિવારના સ્નેહમિલન સમારોહમાં તેઓએ જણાવ્યું કે, જો અમે રાજકારણ ન કરીએ તો પછી અમારું કામ ક્યાંય થતું નથી.
ખોડલધામના ચેરમેન નરેશ પટેલનું સૂચક નિવેદન
નરેશ પટેલે કહ્યું- રાજકારણ કરવું અનિવાર્ય છે
રાજકારણમાં રહીએ તો સમાજના કામ થાયઃ નરેશ પટેલ
ખોડલધામના ચેરમેન નરેશ પટેલનું સૂચક નિવેદન સામે આવ્યું છે. જેમાં તેઓ રાજકારણને લઈને મહત્વનું નિવેદન આપ્યું છે. તેઓએ જણાવ્યું હતું કે, રાજકારણ કરીએ તો સમાજના કામ થાય
રાજકારણ ન કરીએ તો પછી અમારું કામ ક્યાંય થતું નથીઃ નરેશ પટેલ
સાકરિયા પરિવારના સ્નેહમિલન સમારોહમાં નરેશ પટેલે જણાવ્યું હતું કે, આમ તો ચૂંટણી હમણાં જ પૂરી થઇ છે. એમાં એક મા ખોડિયારના સુપુત્ર એવાં રમેશભાઇ કે જેઓ ખૂબ ભવ્ય જીત લઇને આપણી વચ્ચે ઉપસ્થિત છે. આમ તો સમાજની વાત કરીએ એટલે અમારા જેવાંને તકલીફ વધારે થાય કે સમાજ લઇને બેઠાં છો અને રાજકારણની પણ વાતો કરો છો. પણ આમાં સાકરીયા પરિવારના ભાઇઓને ખ્યાલ છે કે જો અમે રાજકારણ ન કરીએ તો પછી અમારું કામ ક્યાંય થતું નથી.
'મનમાં ન રાખતા કે નરેશભાઈ કેમ આવા સ્ટેટમેન્ટ આપે છે'
તેઓએ વધુમાં જણાવ્યું કે, બધું થોડું-થોડું જરૂરી છે. તો કોઇ મનમાં એવું ન રાખતા કે નરેશભાઇ ક્યાંક સ્ટેટમેન્ટ આપે છે તો શું કામ આવાં સ્ટેટમેન્ટ આપે છે. ક્યારેક જરૂર પડે તો દઇ દેવાના હોય.