સુરતમા રાત્રિ કર્ફ્યુની ફરજ પર રહેલા પોલીસકર્મી પર બૂટલેગર અને તેના સાગરિતોનો તલવાર અને હથિયાર વડે હુમલો પોલીસ કર્મી સારવાર અર્થે હોસ્પિટલમાં
કોરોના કેસ વધતા સમગ્ર રાજ્યમાં રાત્રિ કર્ફ્યુ અમલ થયાવત રાખવામાં આવ્યો છે, જેના માટે પોલીસ કર્માચીરીઓ રાત્રે પણ ખડે પગે રહીને પોતાની ફરજ નિભાવતા હોય છે ત્યારે સુરતમાં પોલીસ કર્મચારી પર હુમલાની ઘટના સામે આવી છે, પોલીસ પર બુટલેગર અને તેના સાગરિતએ હુમલો કરતા પોલીસકર્મચારી ગંભીર રીતે ઘાયલ થયો છે અને સાથી કર્મચારીને પણ કેટલીક ઈજાઓ થઈ છે.
બુટલેગરોનો પોલીસ પર હુમલો
સુરતમાં બુટલેગરો બેફામ બન્યા છે. સલાબતપુરામાં રાત્રિ કર્ફ્યુની ફરજ પર રહેલા પોલીસકર્મી પર બૂટલેગર અને તેના સાગરિતોએ તલવાર અને હથિયાર વડે હુમલો કર્યો છે જેમાં પોલીસ કર્મીને ગંભીર ઈજાઓ પહોંચી છે જ્યારે ફરજ પર રહેલા સાથી કર્મચારીને પણ ઈજા પહોંચી હતી હુમલામાં ગંભીર ઈજાગ્રસ્ત થયેલા પોલીસ કર્મચારીને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે સમગ્ર ઘટનાને લઈ ઉચ્ચ પોલીસ અધિકારીઓએ તપાસના આદેશ આપી બુટલેગરની ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યો છે.
બુટલેગરોની પકડવા કવાયત હાથ ધરી
સલાબતપુરા વિસ્તારમાં જ્યારે પોલીસ કર્મચારી રાત્રિ સમયે પોતાની ડ્યૂટી કરી રહ્યો હતો હતો ત્યારે રાત્રિ દરમિયાન પોલીસે બુટલેગરોને અટકાવ્યા હતા તે જોઈએ ઉશ્કેરાયેલા બુટલેગરોએ અને તેમના સાગરિતોએ પોલીસ કર્મચારી પર તલવાર અને હથિયારો વડે હુમલો કર્યો જેમાં પોલીસ જવાનને ગંભીર ઈજાઓ પહોંચી હતી જ્યારે સાથી પોલીસ કર્મી પણ ઘવાયો હતા. સમગ્ર મામલાની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે ઓવી પહોંચ્યો હતો અને ઈજાગ્રસ્ત પોલીસ કર્મીને સારવાર અર્થે ખસેડીને બુટલેગરોની પકડવા કવાયત હાથ ધરી હતી..
પોલીસ સુરક્ષીત નથી તો પ્રજા કેવી રીતે સુરક્ષિત હશે ?
મહત્વનું છે કે કોરોના કાળમાં પણ ખડેપગે રહી ફરજ બજાવતા કર્મચારીઓ પણ સુરક્ષીત નથી ત્યારે પ્રજા કેવી રીતે સુરક્ષિત હશે ? એવા અનેક સવાલો ઉઠી રહ્યા છે આમ પણ સુરત એટલે ક્રાઈમનું હબ, સુરતમાં દિન પ્રતિદિન ક્રાઈમ રેટમાં વધારો થઈ રહ્યો છે, અવાર નવાર ચોરી લૂંટ-ફાટ, ચોરી, હત્યાની ઘટનાઓ સામે આવતી હોય છે ત્યારે પોલીસની નિષ્ક્રિયતા સામે પણ સવાલો ઉઠી રહ્યા છે બુટલેગરો બેફામ બન્યા છે તેના પાછળ પોલીસની હપ્તા ખોરી અને પોલીસના આંખ આડા કાન કરવાની ઢીલી નીતિ જવાબદાર હોય તેવું લાગી રહ્યું છે હવે પોલીસને બુટલેગરો દ્વારા પડકાર ફેંકવામાં આવ્યો છે અમેતો ખુલ્લે આમ આવી રીતે જ આતંક મચાવીએ શું કરી લેશે પોલીસ ? ત્યારે પોલીસની કામગીર પર શંકા અને સવાલ ઉઠી રહ્યા છે.