અમદાવાદની ચાંગોદર GIDCની ફેક્ટરીમાં મોટી દુર્ઘટના સર્જાઈ, ઓઇલ ટેન્કર સાફ કરવા ઉતરેલા ત્રણ શ્રમિકોનો મોત-સહારા પેટ્રોલિયમની ઘટના
ચાંગોદરમાં ત્રણ શ્રમિકોના મોત
ઓઇલ ટેન્કર સાફ કરવા ઉતર્યા હતા શ્રમિકો
સહારા પેટ્રોલિયમની ઘટના
અમદાવાદના જિલ્લાની ચાંગોદર જીઆઇડીસીમાં ફેક્ટરીમાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. સહારા પેટ્રોલિયમની પરની દુર્ઘટના સર્જાઈ છે. ઘટનાના પગલે ચાંગોદરમાં ત્રણ શ્રમિકોના મોત થયા છે. પ્રાથમિક અનુમાનમાં એવું જાણવા મળ્યું છે કે, આગ લાગવાની ઘટનું પણ પ્રાથમિક અનુમાન પણ માનવામાં આવી રહ્યું છે. ચાંગોદર જીઆઈડીસીમાં ઓઈલ ટેન્કર સાફ કરતા શ્રમિકના મોત થયા છે. મહાગુજરાત ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટની મોરૈયા પાસે આવેલ સહારા પેટ્રોલિયમ નામની ફેક્ટરીમાં ત્રણ શ્રમિકના મોત થયા છે. જેમાં ઓઇલ ટેન્કર સાફ કરવા ઉતરેલા ત્રણ મજૂરના મોત થયા છે.
ચાંગોદરમાં ત્રણ શ્રમિકોના મોત
ચાંગોદર જીઆઇડીસીમાં ફેક્ટરીમાં મોટી દુર્ઘટમાં ત્રણ શ્રમિકના મોત થયા છે. ઓઇલ ટેન્કર સાફ કરવા ઉતર્યા હતા શ્રમિકના મોત થયા છે. ગુંગળામણના કારણે મોત થયા હોવાની પ્રાથમિક માહિતી પ્રાપ્ત થઈ છે. આ ઘટના પ્લોટ નંબર 19/dમાં બન્યાની પણ પ્રાથમિક માહિતીમાં જણાવા મળી રહી છે. તેમજ ફાયરની ટીમ દ્વારા તમામ મૃતદેહને ટેન્કમાંથી બહાર કાઢવામાં આવ્યા છે.
બેદરકારી કોની?
સમગ્ર દુર્ઘટનામાં સૌથી ગંભીર સવાલ ઉભા થાય છે ત્રણ શ્રમિકના મોત થયા છે જે બાબતે બેદરકારી કોની તે સૌથી મોટો અને સળગતો સવાલો લોકમુખે ઉદ્ભવી રહ્યો છે. સમગ્ર ઘટનાના પગલે ચાંગોદરમાં સન્નાટો વ્યાપ્યો છે.