VTV પર સિંહણનો EXCLUSIVE વીડિયો,સરોવરના કાંઠે જોવા મળી હુમલાખોર સિંહણ, લોકોમાં ડરનો માહોલ
અમરેલીમાં સિંહણ બની હિંસક
બાબરકોટ પાસે લોકો પર હુમલો
સિંહણે 6 જેટલા લોકોને કર્યા ઘાયલ
ગીરના સિંહને ડાલામથ્થો, વનરાજ, કેસરી, સાવજ અનેક નામોથી ઓળખવામાં આવે છે. તેનું એક માત્ર કારણ છે ગીરનાં સિંહનો શાંત સ્વભાગ તે ત્યાંના નેસડા વાસીઓમાં પરિવારની જેમ ભળી જાય છે. શિકાર કરવો હોય તો મન કરે એ વન્યજીવને ઝપેટામાં લે પણ કોઈ દિવસ માણસમાં પર હુમલો ન કરે તે ગીરના સાવજની પ્રકૃતિ જ છે. પણ અમરેલીમાં બાબરકોટ નજીક ઘૂઘરાટી થયેલી સિંહણે 6 લોકો પર હુમલો કરી દીધો. ગંભીર રીતે 3 લોકોને ઘાયલ કર્યા જેઓ હાલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. બીજી તરફ આ જ હુમલાખોર સિંહણ સરોવરના કાંઠે જોવા મળી જેમાં કોઈ ન મળતા તે બાઇક પર હુમલો કરી દે છે. લોકો ડરના માર્યા વાડીના ઘરના ઘાબા પર ચડી જાય છે.હુમલાખોર સિંહણને લઇ લોકોમાં ડરનો માહોલ છે.
કોણે શું અપીલ કરી?
સમગ્ર મામલે કોંગ્રેસ ધારાસભ્ય અમરીશ ડેરે સરકાર અને વનવિભાગને અપીલ કરી છે કે ઝડપથી એમનોર્મલ સિંહણને પકડી લેવામાં આવે, ઇજાગ્રસ્ત યુવકની માતાએ વનવિભાગને સારવારનો ખર્ચો ઉપાડવા વિનંતી કરી છે.હીરાભાઈ સોલંકી પૂર્વ સંસદીય સચિવે વનવિભાગના મંત્રી કિરીટસિંહ રાણા સાથે વાત કરી હોવાની માહિતી આપતા કહ્યું હતું કે વનવિભાગની ઘણી ટીમ આ સિંહણને પકડવા પ્રયાસ કરી રહી છે. ત્યાં સુધી લોકો બાબરકોટ નજીકના વિસ્તારમાં ખુલ્લા વાહન પર પણ જવાનું ટાળે સાથે જ લોકોને સાવચેત રહેવા પણ અપીલ કરી હતી.સ
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) July 17, 2022
સિંહની બદલતી પ્રકૃતિ તપાસનો વિષય
ગીરમાં સિંહોને નજીકથી જોવા રોજ કેટલાય પ્રવાસી આવે છે. તો પણ સિંહ મોટું મન રાખીને શાંતિથી બેઠા રહે છે. સિંહ પર હુમલાનું કારણ સિંહની વધારે પડતી કનડગત જ છે. સરકાર અને વન-વિભાગ તો તપાસ કરીને કદાચ ગમે તે કારણ દર્શાવી દેશે અને સિંહને જ જવાબદાર ઠેરવી દેશે. પણ તેની આ બદલતી પ્રકૃતિ તપાસનો વિષય છે .
સિંહોના હુમલા વધી જવાનું કારણ શું?
ત્યારે અહીં પ્રશ્ન એ ઉદભવે છે કે ભૂતકાળમાં ક્યારેય સિંહ મનુષ્ય પર હુમલો કરતો નથીં. છેલ્લા 8 કએ 10 વર્ષથી આવું શા માટે થાય છે.?શું વસતી વધતા અને ક્રાઈટ એરિયા ઘટતાં સિંહો ગ્રામ્ય પંથકોમાં વારંવાર ચડી આવે છે..!જંગલમાં ખોરાક મેળવવા સિંહોને અસુવિધા વધી રહી છે? આ તમામ જવાબ તો વન વિભાગ જ આપી શકે. ત્યારે વન વિભાગ હંમેશાની માફક મૌન ધારણ કરીને બેસી રહે છે. પણ કોઈ ઠોસ જવાબ પર હજુ સુધી ઉતરી આવ્યું નથી.