દેશના 8 રાજ્યોમાં કોરોનાના કેસને કારણે હજુ પણ લોકડાઉન જેવો માહોલ છે. જેના કારણે ત્યાના લોકો ભારે હાલાંકીનો સામનો કરી રહ્યા છે. સાથેજ તેમનામાં ભયનો માહોલ પણ ફેલાયેલો છે.
દેશના 8 રાજ્યોમાં હજુ લોકડાઉન જેવો માહોલ
23 જેટલા રાજ્યોમાં આંશિંક લોકડાઉન
કેરળમાં કોરોનાના કેસનો સતત ઉછાળો
કોરોનાની બીજી લહેર ભલે હવે શાંત પડી ગઈ હોય. પરંતુ લોકોમાં હજુ પણ ભયનો માહોલ ફેલાયેલો છે. સાથેજ ત્રીજી લહેરને લઈને લોકો વધારે ભયમાં છે. જોકે દેશના 8 રાજ્યોમાં હજુ પણ લોકડાઉન જેવી પ્રતિબંધો હજું યથાવત રાખવામાં આવ્યા છે. જેના કારણે ત્યાના લોકો ભારે હાલાંકીનો સામનો કરી રહ્યા છે.
8 રાજ્યોમાં લોકડાઉન જેવા પ્રતિબંધો
પશ્ચિમ બંગાળ, હિમાચલ પ્રદેશ, ઝારખંડ, ઓડિશા, તમિલનાડુ, મિઝોરમ, ગોવા અને પોંડીચેરીમાં હજું પણ લોકડાઉન જેવી પાબંદીઓ લગાવામાં આવી છે. જેના કારણે અહીયાના લોકો હવે હેરાન થઈ ગયા છે. આ તમામ રાજ્યોની સરકાર દ્વારા કોરોનાની ચેઈન તોડવા બધાજ પ્રતિબંધો હજુ યથાવત રાખવામાં આવ્યા છે. જોકે તેના કારણે લોકોને ઘણી તકલીફો પડી રહી છે.
23 રાજ્યોમાં આશિંક લોકડાઉન
હાલ દેશના 23 રાજ્યોમાં તેમજ કેન્દ્રશાસિત પ્રદેશોમાં આંશિક લોકડાઉન લગાવામાં આવ્યું છે. અહીયા પાબંદીઓ સાથે છૂટ પણ મળી રહી છે. જેમા છત્તીસગઢ, કર્ણાટક, કેરળ, બિહાર, દિલ્હી, મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ, હરિયાણા, પંજાબ, જમ્મૂ કશ્મીર, લદ્દાખ, ઉત્તરાખંડ, અરૂણાચલ પ્રદેશ, સિક્કિમ, મેઘાલય, નાગાલેંડ, અસામ, મણિપુર, ત્રિપુરા, આંધ્રપ્રદેશ તેમજ ગુજરાત પણ શામેલ છે.
કેરળમાં સૌથી વધારે કેસ
છેલ્લા 24 કલાકમાં ભારતમાં કોરોનાના કુલ 41, 277 જેટલા કેસ નોંધાયા છે. જેની સામે 42 હજાર કરતા વધારે લોકો સાજા પણ થયા છે. પરંતુ ભારતમાં સૌથી વધું એક્ટિવ કેસ અત્યારે કેરેલામાં જોવા મળી રહ્યા છે. સાથેજ અહીયા છેલ્લા પાંચ દિવસમાંતો એક્ટિવ કેસની સંખ્યામાં પણ વધારો થયો છે. જેના કારણે લોકોમાં ચિંતાનો માહોલ ફેલાઈ ગયો છે.
24 કલાકમાં 114 લોકોના મોત
ઉલ્લેખનીય છે કે કેરેલામાં છેલ્લા 24 કલાકમાં કુલ 16 હજાર કરતા પણ વધારે પોઝિટીવ કેસ સામે આવ્યા છે. સાથેજ 114 લોકોએ અહીયા પોતાનો જીવ પણ ગુમાવ્યો છે. જોકે સારી બાબત એ પણ છે કે ત્યા 13 હજાર કરતા વધારે દર્દીઓ સાજા થયા છે. હાલ કેરળમાં કુલ 2837 એક્ટિવ કેસ વધ્યા છે જેના કારણો લોકોમાં ભય ફેલાયો છે.