કોરોના વાયરસનો કહેર ગુજરાતમાં અને ખાસ કરીને અમદાવાદમાં વધી રહ્યો છે. આજે અમદાવાદમાં કોરોનાના દર્દીઓની સંખ્યા 700ને પાર થઇ ગઇ છે ત્યારે કોરોનો વોરિયર્સ તરીકે ફરજ બજાવતા પોલીસકર્મીઓ પણ કોરોના વાયરસની ઝપેટમાં આવી ગયા છે. ત્યારે અમદાવાદમાં વધુ 8 પોલીસકર્મીઓ સંક્રમિત થયા છે.
રાજ્યમાં કોરોના વાયરસનો ભરડો
અમદાવાદમાં 8 પોલીસ જવાનો કોરોનાની ઝપટમાં
નોંધનીય છે કે, ફરજ નિભાવતી વખતે પોલીસકર્મીઓ કોરોનાની ઝપેટમાં આવ્યા છે. જે આઠ પોલીસકર્મીઓ સંક્રમિત થયા છે તેમાં ખાડિયા પોલીસ સ્ટેશનના 3 જવાન, ખોખરા પોલીસ સ્ટેશનના 1, કાલુપર પોલીસ સ્ટેશનના 1 જવાન, દિલ્હી દરવાજા પોલીસ સ્ટેશનના 1 અને ટ્રાફિક શાખાના 1 પોલીસ જવાનનો સમાવેશ થાય છે.
અમદાવાદમાં 8 પોલીસ કોરોનાની ઝપેટમાં
અમદાવાદના કોટ વિસ્તારમાં આવેલા આ પોલીસ સ્ટેશન વિસ્તાર છે જ્યાં હવે પોલીસ જવાનો સુધી કોરોના ફેલાયો છે. પોલીસ જવાનોના કોરોના વાયરસથી સંક્રમિત થવાની ઘટના દુઃખદ છે. માટે પરિવાર, સમાજ, દેશને બચાવવા માટે ઘરે રહેવું જ હિતાવહ છે.
કામ સિવાય ન ઘરની બહાર ન નીકળવા લોકોને અપીલ
VTV પણ લોકોને અપીલ કરે છે ઘરે રહીને આ લડાઈમાં સહકાર આપો. ખોટી રીતે બહાર ન નીકળી પોલીસને સહકાર આપીએ અને કોરોના વોરિયર્સને સંક્રમિત થતાં બચાવીએ. કેમ કે, વાયરસ આરોગ્ય વિભાગ અને પોલીસ વિભાગમાં પ્રસર્યો તો સ્થિતિ વધુ ગંભીર બની જશે.
AMCના એપેડેમિક સેલના એક ઓપરેટર કોરોના પોઝિટિવ
AMCના એપેડેમિક કામગીરી ખોરવાઇ ગઈ છે. એપેડેમિકના 12 જેટલા વ્યક્તિને કરાયા ક્વોરન્ટાઇન. ક્વોરન્ટાઇનની જગ્યા પર જ ઓફિસ બનાવી કામગીરી કરવા સુચના આપવામાં આવી.
પોઝિટિવ ઓપરેટર સતત DYHO સાથે હોવાથી તેમને પણ ક્વોરન્ટાઇન કરાયા. ડેપ્યુટિ હેલ્થ ઓફિસર પણ ક્વોરન્ટાઇન થયા છે.