મહારાષ્ટ્રમાં મંગળવારે ઓમિક્રોનના વધુ 8 કેસ નોંધાયા છે, આ સાથે દેશમાં કુલ સંક્રમિત દર્દીઓની સંખ્યા 57 થઈ છે.
દેશમાં વધવા લાગ્યા ઓમિક્રોનના કેસ
મહારાષ્ટ્રમાં મંગળવારે ઓમિક્રોનના વધુ 8 કેસ નોંધાયા
કુલ કેસનો આંકડો 28 થયો
મુંબઈમાં અત્યાર સુધીમાં 12, ચિંચવાડમાં 10, પુણેમાં 2, ડોમ્બીવાલીમાં એક કેસ નોંધાયા છે. રાજ્ય સરકારે એરપોર્ટ પર ચોક્કસપણે કડક નિયમો બનાવ્યા છે, જોખમી દેશો માટે ક્વોરેન્ટાઇનની પણ ચર્ચા છે, પરંતુ તેમ છતાં મહારાષ્ટ્રમાં સૌથી વધુ કેસ આવી રહ્યા છે.
8 more patients found infected with #Omicron in the state. Out of these 7 are from Mumbai & 1 patient is from Vasai Virar. Till date, a total of 28 patients infected with Omicron have been reported in the state. Out of these, 9 have been discharged after negative RT-PCR test. pic.twitter.com/AptIVHMk8h
દેશમાં ઓમિક્રોન સંક્રમિત દર્દીઓની સંખ્યા થઈ 57
મુંબઈમાં 8ની સાથે દેશમાં ઓમિક્રોન સંક્રમિત કુલ દર્દીઓનો આંકડો 57 પર પહોંચ્યો છે. મહારાષ્ટ્રમાં સૌથી વધારે 28 કેસ છે.
ઓમિક્રોન સામે ભારતીય વેક્સિન બેઅસર થઈ શકે છે-વીકે પૌલ
દેશમાં ઓમિક્રોનના ખતરાની વચ્ચે નીતિ આયોગના મેમ્બર ડોક્ટર વીકે પૌલે કોરોના વેક્સિનને લઈને એક મહત્વનું નિવેદન આપ્યું છે. વીકે પૌલે જણાવ્યું કે ભારતની કોરોના વિરોધી વેક્સિન નવા વેરિયન્ટ ઓમિક્રોનની સામે બેઅસર સાબિત થઈ શકે છે, આથી કોરોનાના બદલાઈ રહેલા વેરિયન્ટની સામે ઝડપથી અસરકારક બની શકે તેવી બીજી કોઈ વેક્સિનની ભારતે વ્યવસ્થા કરી રાખવી જોઈએ.